તમારી દીકરીને મારાથી કંઈ કહેવાયું તો મને માફ કરી દેજો .હવે તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ મારી દીકરી કરતા સવાઈ રાખીશ : સાસુના દીકરીના પિતાને સંવેદનસરભર શબ્દો ..!!!


ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની જવાબદારી આપણા માટે વધારે હોય છે દીકરા કરતા .!! દીકરોએ બે કુળને ઉજાળે છે .જયારે દીકરી ત્રણ કુળને તારણહાર છે.દીકરા માટે બાપ અને મોસાળને ઉજળું કરે છે .જયારે દીકરી પિયર-મોસાળ અને સાસરું એમ ત્રણ કુળને ઉજળું કરે જો કે દીકરીના જીવનમાં બે ભાગ પડે છે .જયારે દીકરાના જીવનમાં બે ભાગ પડતા નથી .કારણ કે દીકરાનો જન્મ થાય ત્યાં જ મૃત્યુ પામે છે .જયારે દીકરીનો સ્મશાન પણ જુદું હોય છે .એટલે કવિઓએ દીકરીને "કાળજાનો કટકો" કીધો છે.દીકરી ગમે એવી મોટી થાય,બે સંતાનોની માં બને,છતાં બાપના આંગણે આંટો મારવા આવે એટલે એ નાની જ લાગતી હોય છે .
દીકરીને પોતાના બાપનું ઘર વહાલું લાગતું હોય છે .ઘરે આવીને જયારે બાપને મળવા જાય ત્યારે બાપ કહે છે કે મારો વિહામો આવ્યો , બેટા તું મજામાં..!! જયારે દીકરી બાપને પૂછે છે કે હું તો મજામાં છું પણ તમે મજામાં છો ..!! એ સમયે દીકરીના પિતાને જે ટાઢક થાય છે તે ટાઢક કદાચ હિમાલયની ગોદમાં પણ નહિ મળે .બેટા હું બહુ મજામાં છું એવો જવાબ પિતા આપતો હોય છે .
પંખીના માળા જેવું રૂડું ગામમાં મરદ માણસની દસથી અગિયાર વર્ષ દીકરી આંગણા રમતી હોય ત્યારે આંગણું રૂડું લાગે છે .આપના ભારત વર્ષમાં જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેને આંગણે દીકરી રમતી ન હોય એ આંગણું રૂડું ન લાગે ."તુલસીનો ક્યારો અને દીકરી એ આંગણાની શોભા છે" જે આંગણામાં દીકરી રમતી હોય તો બાપની આંખના ખૂણા ભીના થઇ જાય.દીકરીને જન્મ આપીને માં મારી ગઈ હતી.દૂધ પાઈને દીકરીને પિતા મોટી કરી હતી .સમજણનો સીમાડો એટલે દીકરી કહેવાય.એકવાર બાપની સાથે દીકરી બેસીને સારી સારી વાતો કરતી હતી.દીકરીએ પિતાના પિતાને કહ્યું કે બાપુ હું એક વાત કરું આપને .!!! દીકરીને વાત સાંભળીને પિતાજી કહ્યું કે બોલ બેટા .!!
દીકરીએ કહ્યું કે બાપુ તમે બીજા લગ્ન કરી લો .!!બીજા લગ્ન કરશો તો એટલે મને માં મળશે .માં મળે એટલે કેટલીક શિખામણ મળે .માં વિના દુનિયામાં કોઈ શિખામણ નહી આપી શકે બાપુ .અને માં મને શિખામણ આપશેને એ તેના સહારે સહારે આ સંસાર સાગર સહેલાઈથી તરી જઈશ..!! .
દીકરીની કાકલુદી પિતા સામે અણધારી વાતો કરતા એવો જવાબ આપ્યો કે બેટા ..!! દીકરી તરત જ જવાબ આપ્યો કે હા બાપુ હું બધું સમજુ છું .એની કઈ ચિંતા ન કરો તમે .!! ફરી પિતા કહ્યું કે દીકરી તો બીજું તો કઈ નહિ પણ તારી નવી માં આવે અને કદાચ તને દુઃખ દે અથવા તો તારી આત્મા દુભાય તો બેટા હું નરકનો અધિકારી બનું .દીકરીને પાસે બેસાડીને પિતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આપણા ગામના ગૌર મહારાજની દીકરીના  લગ્ન થયા હતા.ત્યારે તારી માં આણું વાળીને આવી હતી ત્યારે ગામની બધી બહેનો સાથે ગૌર મહારાજ ની દીકરીનું કરિયાવર જોવા માટે ગઈ હતી .કરિયાવર જોતા જોતા કોઈને વિચાર ન આવ્યો પણ તારી માંને એવું દુઃખ થયું કે કરિયાવરમાં ભરત ગુંથણ નહીને ચાદરો પણ ન હતી અરે આ ગૌર મહારાજની દીકરીની માતા મરી ગયા કરીયાવારની આવી હાલત જોવી પડી .એ ઘરે આવીને તારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.મેં પૂછ્યું કે કેમ રોઈ છે .!!!
તારી માં એ એવો જવાબ આપ્યો કે કાઈ નહિ..!!પટારો ખોલીને ભરત ગુથણ ,ચાદરો,તોરણ લઇ જઈને બ્રાહ્મણ દીકરીના કરિયાવરમાં મુક્યા એની માં નહિ ત્યારે ભરત ગુથણ નહિ.ત્યારે મેં કહ્યું કે તારે ત્યાં દીકરી થશે તો શું આપીશ.ત્યારે તારી માંએ એવો જવાબ આપ્યો કે એને તો મારો ભગવાન આપશે.બેટા,મને તો એની વાત યાદ આવે છે .હવે બીજુ ઘર નથી કરવું,મારે બીજા લગ્ન નથી કરવા.!! વહાલસોયી દીકરીએ ફટાક દઈને એવો પિતાને જવાબ આપ્યો કે પિતાજી તમે બીજા લગ્ન નહિ કરો તો તમને મારા સોગંધ છે.તમે મારા માટે મન નહી બાળો આટલું કહીને દીકરી રડવા માંડી.
દીકરીને ચોધાર આંસુ રડતા જોઈને પિતાજી વામણા થઇ ગયા એમ કહ્યું કે બેટા તુંએ મને લાચાર કરી દીધો..!! લગ્ન કરવાની હા પડી દીધી.પછી એમ કહેવાય છે કે બીજા લગ્ન કરી લીધા.દીકરીને નવી માં ઘરે આવી.બીજવર પુરુષે એમ કહે છે કે મારી દીકરીનું ધ્યાન એને દીકરાની જેમ મોટી કરી છે.એની માં યાદ આવી નથી.તેનો જન્મતા જ એની માં મરી ગઈ છે.દીકરીનું ધ્યાન રાખજે ..!!!
સમાજના તાણાવાણા મુશ્કેલ છે.હવે તો ધીરે ધીરે માવી માંએ દુઃખ દેવાનું શ્રી કરી દીધું છે.જો કે દીકરી સમજી ગઈ હવે મારે દુઃખ દહાડા આવે છે એને સહન કરવાનું છે કાઈ વાંધો નહિ.નવી માંનું દુઃખ સહન કરીને દીકરી બાપને ભાત આપવા ખેતરે જાય ત્યારે કોઈ જોઈ નહિ એમ ખૂણે બેસીને બે આંસુડા પડી લે છે.છાનું છાનું રોઈ લે છે.ખેતરના સેઢે બેસીને માંને યાદ કરીને રૂદન કરે છે.તેના પિતાને ખબર ન પડે એ રીતે જન્મ આપનારી માતાને યાદ કરી કરીને મનમાં અને મનમાં કહે છે કે હે માં મને તારી છાયા ન મળી.મને તારી હૂફ ન મળી અને મને તારું હેત ન મળ્યું.પિતાને ખબર ન હતી કે દીકરીને નવી માંએ દુઃખ આપવાનું ચાલુ હતું.
જો કે નવી માંને એક દીકરાનો જન્મ થયો.નવીમાં સ્વાર્થ વધતો જાય છે .દીકરીને વાંક લેવાનો નવી માં તમામ પ્રયત્ન મારે અને બાપને નવી માં કહે ત્યારે દીકરીને ખીજવાઈ જાય.દીકરી મુંગા મોઢે ખુબ જ સહન કરે છે.આખરે નવી માંએ પોતાના ધણી કહે છે કે હવે બહુ થઇ ગયું કે આ ઘરમાં ક્યાં દીકરી હોય તો હું નહિ .એને એ દીકરી જુવાનજોધ થઇ છે એને પરણાવી દો ..!!! દીકરીના મનમાં મારા ભાગ્યમાં સુખ નથી .ભલે મારા દુઃખ આવે પણ મારા આંગણા મારો ભાઈ રમે છે .કાલે સવારે દીકરો મોટો થઈને બાપની સેવા કરશે .એ આશામાંને આશામાં જે દુઃખ પડે તેને સહન કરેછે.ક્યારેક ક્યારેકનવી માં દ્વારા દુઃખની વાત બાપને ખબર પડે એટલે દીકરી પોતાના માથે લઇ લે છે.પિતાને એમ કહે કે એ તો મારો વાંક હતો બાપુજી મારી માનો વાંક ન હતો .હવે કોઈ દિવસ ભૂલ નહિ કરું આવી વાતો કરીને પિતાને પીગળાવી દે છે .
 કહેવાય છે કે દીકરીની ઉમર થતા પિતાજીએ આ દીકરીનું સારું ઠેકાણું શોધતા હતા.સારું સંસ્કારી કુંટુંબ મળી જાય તો દીકરીના હાથ પીળા કરી દઉં .!!આવી અભિલાષા હતી .કારણ કે અવાર નવાર નવી માં દીકરીને કહે કે આ ઘરમાં ક્યાં તું નહિ ક્યાં હું નહિ ..!!!સારું કુટુંબ મળતા દીકરીનો સબંધ બંધાયો .દીકરીનો લગ્ન લેવાતા આસોપાલવના તોરણ બાંધ્યા .મહેમાનો આવ્યા લગ્નગીત ગવાયા .લગ્નનો માહોલ એવો હતો કે ઢોલના ધબકારે અને શરણાઈના સૂરોથી સૌ ને લયબદ્ધ કરી દીધા .પાદરે જાન આવી ગઈ. લગ્નમાં દીકરીના હૃદયમાં એક યુદ્ધ શરુ થાય છે.હવે તો મારા બાપનું આંગણું છોડવું પડશે. કાળજું ફફડાટ કરે છે ઢોલ વાગે એટલે હૈયું ધબકતું હોય .બહેનપણી દીકરીને બાવડું પકડીને ગણેશસ્થાપનથી મંડપ લઇ આવે છે .દીકરીને મંડપ આવી ત્યારે બાપે જોઈ .દરેક બાપ દીકરીને મંડપમાં જોઈ એટલે અવસ્થા વધી જાય .ઉમરમાં વધારો થઇ જાય .ચાર ફેરા ફર્યા બાદ વિદાયનો અવસર આવ્યો દીકરીની વિદાય ભલભલા બાપને હલાવી નાખે છે .આમ તો વિદાયનું વર્ણન કોણ કરી શકે .જે બાપના આંગણામાં બાળપણ વિતાવ્યું હોય એ આજે ધુમટો તાણીને વિદાય લે છે.દીકરીની વિદાયવેળા ભાંગીને ભુક્કો થઇ ગયો .દીકરીના બાપે લગ્ન વેળા પાઘડી જાનવાળાની સામે ઉતારીને કહે છે મારી દીકરીનું ધ્યાન રાખજો .આંખમાંથી આંસુઓ નીકળે છે.વિદાયવેળા દીકરીને પોતાના પિતાએ એવી શિખામણ આપી કે સાસુ-સસરાને માવતર માનજો ,જેઠ -જેઠાણીનું કહેલું કરજો જેમાં આ શિખામણમાં એક શબ્દ એવો અદભુત છે કે પતિને પરમેશ્વર માનીને જીવજો.કરીયાવારની ભૂખી સાસુએ મેણા ટોણા મારવા માંડ્યા.નવી માંનું દુઃખ પૂરું થયું અને સાસુનું દુઃખ શરુ થયું.ચાર દીવાલોમાં જીવવું છે .ક્યાં રોવું ..!! રડવાના ઠેકાણા નથી આ બાજુ દીકરીનો બાપ યાદ કરીને આંસુ પાડે છે.ક્યારેક એવા સમાચાર આવે છે કે તમારી દીકરી બહુ દુઃખી છે .પિતાને દુઃખ થાય શું કરે ..!!
      એક દિવસ પિતા બીમાર થયા.સમય સમયનું કામ કરે છે.દીકરો મોટો થયો તેના લગ્ન લેવાયા હતા.બીમાર પિતાને કહ્યું કે બહેન તેડી લઉં .એમ કહીને બહેન લેવા માટે જાય છે .પોતાના ભાઈને જોયા બાદ હરખમાં આવી ગઈ હતી કે ચલ બહેન તને લેવા માટે આવ્યો છું .પોતાની સંસ્કારી બહેને કહ્યું કે મારી સાસુને પણ આવવાનું પહેલા કહી દે .સાસુને જણાવતા તેઓ પણ લગ્નમાં આવવા સંમત થયા.
લગ્ન માટે બહેન અને તેની સાસુ અને ભાઈ જવા માટે નીકળ્યા હતા.લગ્ન પુરા થયા બાદ બીમાર પિતા પોતાની દીકરીને જોઇને ત્રુટક ત્રુટક કહ્યું કે બેટા તે તો મારું આંગણું ઉજળું કર્યું.આ ઘટનામાં દુઃખનો એક શબ્દ દીકરી કહ્યો નહિ .આ બનાવમાં સાસુએ પિતા-દીકરીનો પ્રેમ જોયા બાદ એક તબક્કે દહેજનો દાગ ઓગળી ગયો.સાસુને પસ્તાવો થયો.સાસુએ દીકરીના બાપ સામે ખોળો પાથરીને કહ્યું કે ભાઈ,તમારી દીકરીને કઈ કહેવાયું હોય તો મને માફ કરી દેજો .તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ હવે મારી દીકરી છે .તેને દીકરી કરતા સવાઈ રાખીશ .!!!
આ ઘટના બનતા બાપના આંખમાં આંસુ આવી ગયા। તેમણે મારી દીકરી સુખમાં છે .મને સંતોષ થઇ ગયો ..!!!!!!

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...