દક્ષિણ ગુજરાતમાં પત્રકારત્વની કલમે જવાનો અવસર મળ્યો. જટિલ સમસ્યાઓ, ઇતિહાસ અને ભવિષ્યનું પ્લાનિંગ અક્ષરના સરનામે જવું પડે.
આવતી કાલે પોતાનું ગામ રળીયામણા સાથે "હાઈટેક" હોય એ જોવાની ફરજ
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
Rajput Baisa - Chhavi Rajawat
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
હસ્તમેળાપમાં બેસતા દીકરીએ આઘા ઉભેલા પિતાજીને બોલાવીને ચરણસ્પર્શ કરતા રડી પડ્યા..!!
લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું...!! કઈ કામ હતું.
દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો.
સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
.જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!
દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા...!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે...!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો...!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો.
સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો "કાળજા કેરો કટકો મારો...." એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.
કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી પપ્પા....!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે
બોલ બેટા...!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું...!!!!!
દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.
.જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે...!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
તમારી દીકરીને મારાથી કંઈ કહેવાયું તો મને માફ કરી દેજો .હવે તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ મારી દીકરી કરતા સવાઈ રાખીશ : સાસુના દીકરીના પિતાને સંવેદનસરભર શબ્દો ..!!!
દીકરીને પોતાના બાપનું ઘર વહાલું લાગતું હોય છે .ઘરે આવીને જયારે બાપને મળવા જાય ત્યારે બાપ કહે છે કે મારો વિહામો આવ્યો , બેટા તું મજામાં..!! જયારે દીકરી બાપને પૂછે છે કે હું તો મજામાં છું પણ તમે મજામાં છો ..!! એ સમયે દીકરીના પિતાને જે ટાઢક થાય છે તે ટાઢક કદાચ હિમાલયની ગોદમાં પણ નહિ મળે .બેટા હું બહુ મજામાં છું એવો જવાબ પિતા આપતો હોય છે .
પંખીના માળા જેવું રૂડું ગામમાં મરદ માણસની દસથી અગિયાર વર્ષ દીકરી આંગણા રમતી હોય ત્યારે આંગણું રૂડું લાગે છે .આપના ભારત વર્ષમાં જેના આંગણે તુલસીનો ક્યારો ન હોય અને જેને આંગણે દીકરી રમતી ન હોય એ આંગણું રૂડું ન લાગે ."તુલસીનો ક્યારો અને દીકરી એ આંગણાની શોભા છે" જે આંગણામાં દીકરી રમતી હોય તો બાપની આંખના ખૂણા ભીના થઇ જાય.દીકરીને જન્મ આપીને માં મારી ગઈ હતી.દૂધ પાઈને દીકરીને પિતા મોટી કરી હતી .સમજણનો સીમાડો એટલે દીકરી કહેવાય.એકવાર બાપની સાથે દીકરી બેસીને સારી સારી વાતો કરતી હતી.દીકરીએ પિતાના પિતાને કહ્યું કે બાપુ હું એક વાત કરું આપને .!!! દીકરીને વાત સાંભળીને પિતાજી કહ્યું કે બોલ બેટા .!!
દીકરીએ કહ્યું કે બાપુ તમે બીજા લગ્ન કરી લો .!!બીજા લગ્ન કરશો તો એટલે મને માં મળશે .માં મળે એટલે કેટલીક શિખામણ મળે .માં વિના દુનિયામાં કોઈ શિખામણ નહી આપી શકે બાપુ .અને માં મને શિખામણ આપશેને એ તેના સહારે સહારે આ સંસાર સાગર સહેલાઈથી તરી જઈશ..!! .
દીકરીની કાકલુદી પિતા સામે અણધારી વાતો કરતા એવો જવાબ આપ્યો કે બેટા ..!! દીકરી તરત જ જવાબ આપ્યો કે હા બાપુ હું બધું સમજુ છું .એની કઈ ચિંતા ન કરો તમે .!! ફરી પિતા કહ્યું કે દીકરી તો બીજું તો કઈ નહિ પણ તારી નવી માં આવે અને કદાચ તને દુઃખ દે અથવા તો તારી આત્મા દુભાય તો બેટા હું નરકનો અધિકારી બનું .દીકરીને પાસે બેસાડીને પિતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આપણા ગામના ગૌર મહારાજની દીકરીના લગ્ન થયા હતા.ત્યારે તારી માં આણું વાળીને આવી હતી ત્યારે ગામની બધી બહેનો સાથે ગૌર મહારાજ ની દીકરીનું કરિયાવર જોવા માટે ગઈ હતી .કરિયાવર જોતા જોતા કોઈને વિચાર ન આવ્યો પણ તારી માંને એવું દુઃખ થયું કે કરિયાવરમાં ભરત ગુંથણ નહીને ચાદરો પણ ન હતી અરે આ ગૌર મહારાજની દીકરીની માતા મરી ગયા કરીયાવારની આવી હાલત જોવી પડી .એ ઘરે આવીને તારી માં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.મેં પૂછ્યું કે કેમ રોઈ છે .!!!
તારી માં એ એવો જવાબ આપ્યો કે કાઈ નહિ..!!પટારો ખોલીને ભરત ગુથણ ,ચાદરો,તોરણ લઇ જઈને બ્રાહ્મણ દીકરીના કરિયાવરમાં મુક્યા એની માં નહિ ત્યારે ભરત ગુથણ નહિ.ત્યારે મેં કહ્યું કે તારે ત્યાં દીકરી થશે તો શું આપીશ.ત્યારે તારી માંએ એવો જવાબ આપ્યો કે એને તો મારો ભગવાન આપશે.બેટા,મને તો એની વાત યાદ આવે છે .હવે બીજુ ઘર નથી કરવું,મારે બીજા લગ્ન નથી કરવા.!! વહાલસોયી દીકરીએ ફટાક દઈને એવો પિતાને જવાબ આપ્યો કે પિતાજી તમે બીજા લગ્ન નહિ કરો તો તમને મારા સોગંધ છે.તમે મારા માટે મન નહી બાળો આટલું કહીને દીકરી રડવા માંડી.
દીકરીને ચોધાર આંસુ રડતા જોઈને પિતાજી વામણા થઇ ગયા એમ કહ્યું કે બેટા તુંએ મને લાચાર કરી દીધો..!! લગ્ન કરવાની હા પડી દીધી.પછી એમ કહેવાય છે કે બીજા લગ્ન કરી લીધા.દીકરીને નવી માં ઘરે આવી.બીજવર પુરુષે એમ કહે છે કે મારી દીકરીનું ધ્યાન એને દીકરાની જેમ મોટી કરી છે.એની માં યાદ આવી નથી.તેનો જન્મતા જ એની માં મરી ગઈ છે.દીકરીનું ધ્યાન રાખજે ..!!!
સમાજના તાણાવાણા મુશ્કેલ છે.હવે તો ધીરે ધીરે માવી માંએ દુઃખ દેવાનું શ્રી કરી દીધું છે.જો કે દીકરી સમજી ગઈ હવે મારે દુઃખ દહાડા આવે છે એને સહન કરવાનું છે કાઈ વાંધો નહિ.નવી માંનું દુઃખ સહન કરીને દીકરી બાપને ભાત આપવા ખેતરે જાય ત્યારે કોઈ જોઈ નહિ એમ ખૂણે બેસીને બે આંસુડા પડી લે છે.છાનું છાનું રોઈ લે છે.ખેતરના સેઢે બેસીને માંને યાદ કરીને રૂદન કરે છે.તેના પિતાને ખબર ન પડે એ રીતે જન્મ આપનારી માતાને યાદ કરી કરીને મનમાં અને મનમાં કહે છે કે હે માં મને તારી છાયા ન મળી.મને તારી હૂફ ન મળી અને મને તારું હેત ન મળ્યું.પિતાને ખબર ન હતી કે દીકરીને નવી માંએ દુઃખ આપવાનું ચાલુ હતું.
જો કે નવી માંને એક દીકરાનો જન્મ થયો.નવીમાં સ્વાર્થ વધતો જાય છે .દીકરીને વાંક લેવાનો નવી માં તમામ પ્રયત્ન મારે અને બાપને નવી માં કહે ત્યારે દીકરીને ખીજવાઈ જાય.દીકરી મુંગા મોઢે ખુબ જ સહન કરે છે.આખરે નવી માંએ પોતાના ધણી કહે છે કે હવે બહુ થઇ ગયું કે આ ઘરમાં ક્યાં દીકરી હોય તો હું નહિ .એને એ દીકરી જુવાનજોધ થઇ છે એને પરણાવી દો ..!!! દીકરીના મનમાં મારા ભાગ્યમાં સુખ નથી .ભલે મારા દુઃખ આવે પણ મારા આંગણા મારો ભાઈ રમે છે .કાલે સવારે દીકરો મોટો થઈને બાપની સેવા કરશે .એ આશામાંને આશામાં જે દુઃખ પડે તેને સહન કરેછે.ક્યારેક ક્યારેકનવી માં દ્વારા દુઃખની વાત બાપને ખબર પડે એટલે દીકરી પોતાના માથે લઇ લે છે.પિતાને એમ કહે કે એ તો મારો વાંક હતો બાપુજી મારી માનો વાંક ન હતો .હવે કોઈ દિવસ ભૂલ નહિ કરું આવી વાતો કરીને પિતાને પીગળાવી દે છે .
કહેવાય છે કે દીકરીની ઉમર થતા પિતાજીએ આ દીકરીનું સારું ઠેકાણું શોધતા હતા.સારું સંસ્કારી કુંટુંબ મળી જાય તો દીકરીના હાથ પીળા કરી દઉં .!!આવી અભિલાષા હતી .કારણ કે અવાર નવાર નવી માં દીકરીને કહે કે આ ઘરમાં ક્યાં તું નહિ ક્યાં હું નહિ ..!!!સારું કુટુંબ મળતા દીકરીનો સબંધ બંધાયો .દીકરીનો લગ્ન લેવાતા આસોપાલવના તોરણ બાંધ્યા .મહેમાનો આવ્યા લગ્નગીત ગવાયા .લગ્નનો માહોલ એવો હતો કે ઢોલના ધબકારે અને શરણાઈના સૂરોથી સૌ ને લયબદ્ધ કરી દીધા .પાદરે જાન આવી ગઈ. લગ્નમાં દીકરીના હૃદયમાં એક યુદ્ધ શરુ થાય છે.હવે તો મારા બાપનું આંગણું છોડવું પડશે. કાળજું ફફડાટ કરે છે ઢોલ વાગે એટલે હૈયું ધબકતું હોય .બહેનપણી દીકરીને બાવડું પકડીને ગણેશસ્થાપનથી મંડપ લઇ આવે છે .દીકરીને મંડપ આવી ત્યારે બાપે જોઈ .દરેક બાપ દીકરીને મંડપમાં જોઈ એટલે અવસ્થા વધી જાય .ઉમરમાં વધારો થઇ જાય .ચાર ફેરા ફર્યા બાદ વિદાયનો અવસર આવ્યો દીકરીની વિદાય ભલભલા બાપને હલાવી નાખે છે .આમ તો વિદાયનું વર્ણન કોણ કરી શકે .જે બાપના આંગણામાં બાળપણ વિતાવ્યું હોય એ આજે ધુમટો તાણીને વિદાય લે છે.દીકરીની વિદાયવેળા ભાંગીને ભુક્કો થઇ ગયો .દીકરીના બાપે લગ્ન વેળા પાઘડી જાનવાળાની સામે ઉતારીને કહે છે મારી દીકરીનું ધ્યાન રાખજો .આંખમાંથી આંસુઓ નીકળે છે.વિદાયવેળા દીકરીને પોતાના પિતાએ એવી શિખામણ આપી કે સાસુ-સસરાને માવતર માનજો ,જેઠ -જેઠાણીનું કહેલું કરજો જેમાં આ શિખામણમાં એક શબ્દ એવો અદભુત છે કે પતિને પરમેશ્વર માનીને જીવજો.કરીયાવારની ભૂખી સાસુએ મેણા ટોણા મારવા માંડ્યા.નવી માંનું દુઃખ પૂરું થયું અને સાસુનું દુઃખ શરુ થયું.ચાર દીવાલોમાં જીવવું છે .ક્યાં રોવું ..!! રડવાના ઠેકાણા નથી આ બાજુ દીકરીનો બાપ યાદ કરીને આંસુ પાડે છે.ક્યારેક એવા સમાચાર આવે છે કે તમારી દીકરી બહુ દુઃખી છે .પિતાને દુઃખ થાય શું કરે ..!!
એક દિવસ પિતા બીમાર થયા.સમય સમયનું કામ કરે છે.દીકરો મોટો થયો તેના લગ્ન લેવાયા હતા.બીમાર પિતાને કહ્યું કે બહેન તેડી લઉં .એમ કહીને બહેન લેવા માટે જાય છે .પોતાના ભાઈને જોયા બાદ હરખમાં આવી ગઈ હતી કે ચલ બહેન તને લેવા માટે આવ્યો છું .પોતાની સંસ્કારી બહેને કહ્યું કે મારી સાસુને પણ આવવાનું પહેલા કહી દે .સાસુને જણાવતા તેઓ પણ લગ્નમાં આવવા સંમત થયા.
લગ્ન માટે બહેન અને તેની સાસુ અને ભાઈ જવા માટે નીકળ્યા હતા.લગ્ન પુરા થયા બાદ બીમાર પિતા પોતાની દીકરીને જોઇને ત્રુટક ત્રુટક કહ્યું કે બેટા તે તો મારું આંગણું ઉજળું કર્યું.આ ઘટનામાં દુઃખનો એક શબ્દ દીકરી કહ્યો નહિ .આ બનાવમાં સાસુએ પિતા-દીકરીનો પ્રેમ જોયા બાદ એક તબક્કે દહેજનો દાગ ઓગળી ગયો.સાસુને પસ્તાવો થયો.સાસુએ દીકરીના બાપ સામે ખોળો પાથરીને કહ્યું કે ભાઈ,તમારી દીકરીને કઈ કહેવાયું હોય તો મને માફ કરી દેજો .તમારી દીકરી મારા પુત્રની વહુ નહિ પણ હવે મારી દીકરી છે .તેને દીકરી કરતા સવાઈ રાખીશ .!!!
આ ઘટના બનતા બાપના આંખમાં આંસુ આવી ગયા। તેમણે મારી દીકરી સુખમાં છે .મને સંતોષ થઇ ગયો ..!!!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
દીકરાના લગ્ન હરખના પ્રસંગમાં "માતા" અને "બા" ની આંખ ભીની થઇ..!!
દીકરાના લગ્નનો પ્રસંગ હોય એટલે સૌને આનંદ હોય. પરંતુ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું નવલોહિયા દીકરાના હરખના પ્રસંગે તેની "માતા" અને "બા" ની આંખો ભીની હતી.કારણ કે એકનો એક જુવાનજોધ દીકરાના લગ્ન પ્રસંગે તેના પિતા અને વ્હાલસોયા દાદા આજે હયાત નથી.તેની યાદમાં આંખના ખૂણા ભીના થયા વગર ન રહે.
છેલ્લા ત્રણ વર્ષ વર્ષ પર કોઈ ઓળખ આપ્યા વગર મારા ફેસબુક બે શબ્દો લખવા પડ્યા.આજે દુઃખના દિવસો દૂર થયા બાદ સુખ તરફના પગલાં માંડતા કંઈક સૌ માટે આ કિસ્સો જણાવવું જોઈએ.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું રાજપૂત સમાજનું એક નાનકડું ગામની આ ઘટના છે.લગભગ બે દાયકાથી વધુના સમયે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પરિવારે પોતાની દીકરી મોટી થઇ ત્યારે હાથ પીળા કરવાની વડીલોની ઈચ્છા થઇ.પોતાના જમાઈ હોંશિયાર અને મપોતાનો જમાઈ હોંશિયાર અને મહેનતુ શોધવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં માંગરોળ તાલુકાના આજ નાનકડા ગામે સજ્જન પરિવારનો એકનો એક દુકારા સાથે સગપણ નક્કી થયા બાદ બંને જણા સાત પેઢીના સંબંધો બાંધી દીધા.એ સમયે આ દંપતીએ એકમેકના થઈને જીવન જીવવાની શરૂઆત કરી.આ પરિવારમાં નવવધૂ ગર્ભવતી હોવાના સારા સમાચાર મળતા હોય ત્યારે તેના પિતાને આનંદ કંઈક હોય અને એ વાત છોડો તો પોતાના દાદાને પૌત્રનો હરખ માતો ન હતો. પૌત્ર આવે એટલે જાણે ઘરમાં વ્યાજ આવ્યું હોય એમ લાગતું હતું.આખો પરિવાર ખુશીમાં ફેરવાઈ ગયો.
સુખના એ સમયના દિવસો વચ્ચે જાણે કુદરતે દુઃખ તરફ ધકેલી દેવામાં કંઈ બાકી ન રાખ્યું.લગ્નના માંડ છએક મહિનામાં જે ઘરેથી પરણાવેલી દીકરી ના ઘરે આઘાતજનક ઘટના બનતા સૌ રૂંવાટા ઉભા કરી દીધા. છ મહિના પહેલા લગ્ન કર્યા બાદ દીકરીના જીવનસાથી (પતિદેવ) બનાવ એવો હતો કે માંડ છ માસ પહેલા લગ્ન કરેલા સજ્જન વ્યકિતે રોડ પર ટુ-વ્હીલર લઈને જતા એકાએક અકસ્માત થતા નાનીવયે તેમનું મોત થતા પરિવારજનોના ઘરે જાણે આભ તૂટી પડ્યો.કરૂણ ઘટના બન્યા બાદ હમણાં લગ્ન કરીને આવેલી દીકરીની હાલત શું હોઈ શકે...!! એક બાજુ પતિના અવસાનની દુઃખદ ઘટના અને બીજીબાજુ નવા સંતાનનું સુખ ના દિવસો છે.સાસુ અને સસરા ઘટના બન્યા બાદ નાની ઉંમરે વિધવા બનેલી પુત્રવધુ જોઈને એક દિવસ તેમના પિયરિયાંને એકાંતમાં કહું કે બનવાકાળ બની ગયું પણ આજે પોરીને (પુત્રવધુ)ને કોઈ સારી જગ્યા મળે તો પરણાવી દો તો સારું...!!
પિયરના એક વડીલે એ દીકરીને બહુ જ હિંમતપૂર્વક જઈને કહું કે બેટા..જે બનવાનું હતું તે બની ગયું આવી અનહોનીને કોણ રોકી શકે.તારે આખી જિંદગી કાઢવાની છે.અમારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે તો સારૂ.!! સમજદાર દીકરી પહેલા એવું મનોમન વિચાર્યું કે ભલે કુદરતે દુઃખ આપ્યું હોય પણ સાથે અવતરવાના સંતાનનું સુખ તો આપ્યું છે.પતિનું સુખ ભલે ના મળ્યું પણ પોતાના સંતાનનું સુખ તો મળશેને .!!તેમણે ઘરના વડીલને સાફ શબ્દોમાં કહ્યું કે કદાચ મારે આવા દિવસો જોવાના હશે.હું ધારો કે બીજા લગ્ન કરી લઉં તો ત્યાં પણ કદાચ આવા દિવસો ફરીથી જોવાનો વારો આવે તો શું કરી કરાય.એટલે મને સંતાન આવશે તે જોઇને સુખી થઈશ.બીજા લગ્ન કરવાનો સાફ શબ્દોમાં અસ્વીકાર કર્યો.દિવસો જતા વાત નથી લગતી આને બે દાયકાથી વધારે સમય થઇ ગયો અને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ સસરા જુવાનજોધ દીકરાની જાન જોયા વગર અવસાન થઇ ગયું.
એકનો એક પુત્ર જુવાનજોધ થઇ ગયો છે.અને હાલમાં સોહામણો અને જુવાનજોધ ૨૩ વર્ષનો દીકરાના લગ્ન પ્રસંગે તેની "માતા" અને "બા" ઘરના બે મોભની યાદમાં આંખ ભીની થઇ જાય.પ્રસંગ આનંદ અને ઉલ્લાસનો હોય પણ બે દાયકામાં ઘરમાં મુખ્ય બે જણા અચૂક ગેરહાજરી યાદ કરીને જોનારા માટે સંવેદનશીલ અને કરૂણ પ્રસંગ બની જાય છે.આ અગાઉ પણ સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે પણ એ ગામમાં બીજાના ઘરે સામાજિક સ્તરે જવાનું હોય ત્યારે પહેલા આઘાતમાંથી બહાર આવીને આખા સમાજ માટે પ્રેરણાદાયી ઘટના ઉભી કરનાર ના પરિવારના ઘરે નમન કરવા અચૂક જાઉં છું...!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
બેટા લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા:- દીકરીને પિતાની લાગણીસભર શબ્દો
છેલ્લે દીકરીને વિદાય વેળાએ બાપ મળવા જાયને એ ચિત્ર કોઈ જોઈ ન શકે સાહેબ...!!! એ તો જેણે વળાવી હોય એને ખબર પડે. આ શબ્દો ગુજરાતના અદના લોકકલાકાર માયાભાઇ આહીરના હતા.
પૂ.મોરારીબાપુની હાજરી હોય અને માયાભાઇ આહીર ડાયરો હોય ત્યારે તેમણે કરૂણ અને ગરવા ગુજરાતનો એક પ્રસંગ કહ્યો કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરી ની પ્રત્યે બાપ પ્રેમ કેટલો હોય તેનો એક તેમને યાદ આવ્યો ત્યારે કહ્યું કે ભુજ એરપોર્ટ ઉપર અમેરિકાની એક દંપતી આવી.ભુજ એરપોર્ટ ઉપરથી પતિ-પત્ની કચ્છ ના ગામડા ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ પર જતી હતી.
અને આગળ એક ગામ આવતું હતું એટલે અમેરિકન બહેને કહ્યું કે એના પતિને કહેતી હતી કે "સાંભળો છો."અમેરિકા ગયા પછી આજ પહેલીવાર આવ્યા છીએ ભારતમાં..!!હું મારા બાપુજીને મળી નથી તો રસ્તામાં જ ગામ આવે છે.ચાલોને પાંચ મિનિટ ઉભા રહીશું.મારા બાપુજીને મળી લઈએ.
આ એક ભારતની દીકરી બોલે છે. તેનો પતિદેવ કહે કે ના,આપણે વળતી સાતની ફ્લાઈટમાં પરત ફરવાનું છે.આપણી પાસે ટાઈમ નથી.દીકરી કગરે છે.ખાલી પાણી પી લેશું અને મોઢું ધોઈ લેશું અને રોડને કાંઠે તો ગામ આવે છે...!!
ભાડે કરેલી ટેક્સીનો ડ્રાયવર કહે કે દીકરી બહુ કગરી તેને ખબર પડી કે આ દીકરી કચ્છની છે.એ નાતે પેલા ભાઈને સમજાવ્યા કે ભાઈ આ બહેન કચ્છના તો હુંએ કચ્છનો એ નાતે એ મારા બહેન થાય...!!રસ્તામાં ગામ છે હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈશ.તમારે ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પીવડાવીશ.તમે ગાડીમાં બેસજો અને મારા બહેનને પાંચ મિનિટ જવા દયોને..!! અંતે એ માની ગયા .
ગામ આવતા ગાડી ઉભી રાખી અને દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જે પગ મુક્યો અને ધરતીની ધૂળ અડીને અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ,દીકરીને પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા,આજ શેરીમાં ડોલતી બહેનપણી સાથે,દીકરી દોડતી દોડતી બાપના ઘરે આવે,તેમના ઘરને તાળું વાગેલું હતું.અડોશ-પડોશ ને ડેડી કે પપ્પા ભૂલી ગઈ,દીકરી બોલી કે મારા બાપુજી ક્યાં ગયા.ઘરને તાળું કેમ છે.
પાડોશીએ કહ્યું કે "બેટા, અમેરિકાથી આવી છો..!!! દીકરીએ જવાબ આપ્યો કે હા,મારા બાપુજીને મળવું છે. પાડોશી એ તો વળતો જવાબ આપ્યો કે અરે બેટા તું ગ્યાં પછી અહીંયા કચ્છની ધરતીમાં સાત સાત વરહથી દુકાળ (દુષ્કાળ) પડેલો છે.અહીંયા બાજુમાં રાહતકામ ચાલે છે.તારા બાપા ચોકડી ખોદવા ગયા છે.ઝાંપામાં તળાવ ખોદાય છે ત્યાં છે...!!!
કરગળતી દોડતી દીકરીએ જે જગ્યાએ રાહત કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને બાપને માટીના તગારું ધૂળના પાળા ઉપર નાખવું અને સામે દીકરીને આવતી જોઈને કાલીઘેલી ભાષામાં બાપ કહેવા લાગ્યો કે મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો,મારી દીકરી આવી..!!!! પોતાના બાપને હરખના હેત હતા.બાપ આવીને દીકરીને ભેટી ગયો.હરખ સાથે દીકરી કહેવા લાગી કે બાપુજી અહીં રહીને નીકળ્યા એટલે ખાલી આપણે મળવું હતું.બાપુજીએ જમાઈ આવ્યા હોવાનું પૂછતાં કહેવા લાગી કે હા આવ્યા છેને એને ઉતાવળ છે.
બાપુજીએ દીકરીને કહ્યું કે આવજો બેટા..!!મારી ચિંતા ન કરતી હો બેટા....!! દીકરીએ બાપના આર્શીવાદ લઈને પાછા ફરતા દાસ ડગલાં જતા બાપુજીએ હાથ કરીને દીકરીને ઉભી રાખી,ધીર ધીરે બસે પાસે આવીને ચોકડી ખોડવામાંથી પાંચ રૂપિયા વધેલા અને પાઘડીના છેડે બાંધેલા હતા.એ પાંચ રૂપિયા દીકરીને આવ્યા લે બેટા પાંચ રૂપિયા લેતી જા, દીકરી બોલી કે બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે.કારણ કે અમેરિકાનો ડોલર અને ક્યાં રિપયા પાંચ..!!!
માયાભાઇ આહીરે કહ્યું હતું કે તેથી મારા ભારત વર્ષનો બાપ એવું બોલ્યો કે બેટા,લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા...!!!
સમગ્ર પ્રસંગ બાપને દીકરી પ્રત્યે લાગણીના સંભારણા હોય છે.દીકરીને વિદાય વેળા વળાવતા બાપ ઉભો હોય અને એકવાર દીકરી મારી સામે જોઈ લે છેલ્લીવાર દીકરીનું મોઢું જોઈ લઉં.પણ દીકરીને બાપ પ્રત્યેનો લગાવને લઈને એવું માનતી હોય કે મારા બાપુ સામે જોઈ લઉં તો મારા બાપને છાનો કોણ રાખશે.એટલે દીકરી જોતી નથી.બાપ પણ મનોમન દીકરીને વિચારીને કહે કે મારી સામુ ન જોઈ તો કાંઈ વાંધો નહિ.પણ જે ગામના ઝાંપે આંમલી અને પીપળી રમી જે ઝાડ ઉભા છે એ ડાળીયો તો જો...!! એ ડાળ ઝૂકી ગઈ છે. પરંતુ ગામડાની વાસ્તવિક હકીકત છે કે દીકરી સાસરે જાય ત્યારે પવન ખપી જાય અને ડાળીયો ઝૂકી જાય....!!!!
બાપ જાણે ધરતીને પૂછી પૂછીને ડગલાં ભરતો હોય જાવ કે ન જાવ,હું કરૂ...!!વિદાયવેળા હાલી કાઢીને દીકરી જયારે બાપને ડોકે લગાડીને રોટી હોય આજુબાજુના લોકો કહે કે બસ હવે ન રોવાય,આખરે બાપ ઈકરીને માથે હાથ મૂકીને કહી દે કે બીટા,તું રોઈશ તો તારા બાપના હમ (સમ) છે.જા બેસી જા...!!!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"
કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
જાણે તે વ્યક્તિની ઓળખ ઉભી થાય એમ માનતા હોય છે.આવા પ્રશ્નો માટે ક્યારેક એમ થાય કે આ કમનસીબ માનવી જયારે જન્મ લીધો હોય ત્યારે કોઈ વડીલના મોઢામાં એક શબ્દો એવા આવ્યા ન હોય કે આજે વિશેષણો વપરાતા હોય.
મને પણ મારા પરમ મિત્રએ વાતચીતમાં કહ્યું કે તમે મૂછ રાખોની યાર....!! મને સ્વભાવગત કહ્યું કે મને ટાઈટકંમ્પાર્ટમેન્ટ રહી ન શકાય.પહેલાના મૂછોવાળા અને આજે મૂછો વગરમાં રહેવું સહેલું છે.આજે તો લોકશાહી છે.આખી વાતો સાંભળીને ખુબ જ હસ્યાં.જેનું મૂળ મજબૂત હોય તો ફૂલ ચોક્કસ જ ખીલે,તેના માટે લોકો ઉપમા આપવી નિરર્થક છે.મને મોરારીબાપુની એક વાત ખુબ જ ગમી કે મારા નામની આગળ પરમ પૂજ્ય કે ધર્મ ધુરંધર (ધધૂપપૂ) લખવાની સ્પષ્ટ ના પડી દેતા.તેમનું કહ્યું કે "આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ છે."
ધર્મમાં કેટલાકના નવા તીલકો,અલગ કંઠી,ભાત ભાતના પહેવેશો એજ તેમની ઉપમા હોઈ શકે, જો કે કોઈની લાગણી દુભાવવાની કોઈ મારી ભૂમિકા ન હોય.કોઈ ઉપમા કે વિશેષણો આપણે જાતે વાપર્યા વગર કોઈના દુઃખમાં હામી બનીને ઉભા રહીએ એજ આપણી સારી વાતો કરશે એજ આપણું વિશેષણ.છેલ્લામાં છેલ્લા માણસને મદદરૂપ થઇએ એ ગરીબ વ્યકિત છુપા આર્શીવાદ આપશે...!!!તેની કોઈ સોશ્યલ મીડિયા કે પ્રસિદ્ધિ ના રસ્તે જરીએ પણ ન હોય તેનો આનંદ કંઈક ઓર હોય.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા
આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ
આજે મારો દીકરો ચિ.પૃથ્વીરાજનો જન્મ દિવસ છે.તા-૯/૯/૨૦૧૦ના રોજ ચિ.પૃથ્વીરાજનો જન્મ થતાં આજે સમજણો થઇ ગયો છે.અપવાદ એકાદ વખત છોડતા જયારે પણ પૃથ્વીરાજનો જન્મદિવસ આવે એટલે વિગ્નહર્તા ગણેશનો તહેવાર આવે.આ વખતે પણ ગણપતિ દાદાનો તહેવાર છે.આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્ય પણ વિગ્નહર્તા ગણપતિ દાદાના પુંજનથી કરતા હોય છે.
પૃથ્વીરાજ ઉંમરમાં ખુબ જ નાનો પણ આજે પણ "હું" ની જગ્યા એ "તું" ભાવના ખરી.બીજાના માટે કામ કરવાની તૈયારી જોતા પરોપકારી જીવનો ખરો.નાની ઉંમરનો હોવાથી આજે પણ તેના પર મારી નજર જાય છે.પૃથ્વીરાજ (મારા માટે ખ્યાતનામ) અંકલેશ્વરની સંસ્કારદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન બખૂબી થઇ રહ્યું છે.ગુજરાતી કહેવાતો પ્રમાણે ઘાટ હોય તો ઘડામણ અવશ્ય થાય.
આજે પણ મને કેટલાક અઘરા પ્રશ્નો એવા પૂછે તેનો જવાબ આપવો કપરો હોય છે.ત્યારે તેની બુદ્ધિક્ષમતા અને તેના 'આઈક્યુ' જોતા મને આશ્રર્ય થતું હોય છે.ભણવામાં પણ તેની યાદશક્તિ બેનમૂન પણ રમત રમવામાં પણ પાવરધો. પોતાની હાઈસ્કૂલમાં નાના વિધાર્થીને સપોર્ટ કેમ્પસમાં રમવા લઇ ગયા ત્યાં પણ પૃથ્વીરાજ સિલેકટ થયો.આજે પણ આ હાઈસ્કૂલ ટેનિસ બોલ રમવા માટે ટેનિસ કોટમાં લઇ જાય છે.
આજે પણ પૃથ્વીરાજ માટે જન્મ દિવસ હોય વહેલી સવારે ઉઠીને ન્હાઈ-ધોઈને ઘરે પહેલા તો મંદિરમાં ખુબ જ કૃતજ્ઞતાથી પગે લાગ્યો.સ્ટાફ અને વડીલોના ચરણસ્પર્શથી શુભ આશિષ લીધા...!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
પટેલ,પાવર એન્ડ પોલીટીક્સ..!!!
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહસિક પ્રજા છે. ભૂતકાળમાં ગુજરાતી પટેલો અરબી સમુદ્ર ઓળંગીને કમ્પાલા, મોમ્બાસા,ઝાંઝીબાર, એડીસ,ઝીમ્બાવે, દક્ષિણ આફ્રિકા,આખુ અમેરિકામાં પાટીદારો વસે છે. આમ તો પાટીદાર સમાજ આખી ડૂઇંયામાં પથરાઈ ગયા હોવાથી મિસ્ટર પટેલ કહીને બોલાવે.
આમ તો પાટોદરો ઇન્ટરનેશનલ કે પટેલ ઈન કોર્પોરેટેડ નામની કોઈ સંસ્થા આધાર હોય એવું સાંભળ્યું નથી.પાટેકને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિષ્ઠાની જરૂર ન હોય. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે.પટેલ માટે મારે વિશેષણ વાપરવાના હોય તો પોતાના પાર હસતા રહેવાની એક ગજબની ખેલદિલી છે.આમ તો પારસી સમાજમાં પણ પટેલ અટક હોય.મુસ્લિમમાં પણ પટેલ છે.
ગુજરાતમાં તો કણબી શબ્દ વપરાતો હતો.અને આજે પણ વપરાય છે.મુખ્ય ગુજરાતમાં પાટીદાર શબ્દ વધારે પ્રચલિત છે. ચરોતર વિસ્તારમાં પાટીદારોનું આધિપત્ય ખરું અને અત્યંત ધનિક વિસ્તાર.આમ તો ચરોતરના લેઉવા પાટીદારો ભૂતકાળમાં આફ્રિકામાં પહોંચ્યા બાદ અમેરિકામાં પણ ગયા.અમેરિકામાં એક પછી એક મોટેલો ખરીદતા જાય છે.એટલે મિસ્ટર પટેલ અમેરિકામાં મોટેલમાલિક બની ગયા.આખો પરિવાર પરિશ્રમી રાત-દિવસ એક કરીને ગુજરાતમાંથી અમેરિકા ગયેલા પટેલ ધનાઢય બની ગયા.
આમ તો પાટીદારના હૃદયની સાઈઝ માટે એમ કહેવાય છે કે સામાન્ય ગુજ્જુનાં હૃદય ની સાઈઝ કરતા જરા મોટી હોય.પાટીદારમાં પરિવારમાં પ્રસંગ હોય તો મોટી સંખ્યામાં ખવડાવે-પીવડાવે અને ક્યારેક લાખો રૂપિયા વહાવડાવે.પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓ કરતા જરા ધારદાર લાગે.તેઓ ધરતીફાડીને ધન પેદા કરવાની ખુમારી ખરી.
કાચુ સોનુ પકાવનાર એ જ છે ગુજરાતનો પાટીદાર !!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
દુર્ગમ આદિવાસી વિસ્તારમાં ક્રિકેટની પાઠશાલા..!!
દક્ષિણ ગુજરાતમાં કલમની મહેરબાનીથી ઘાટ ઘાટના પાણી પીવાનો મારો વારો આવ્યો.ઘણા દુર્ગમ વિસ્તારોમાં ગરીબાઈને કારણે બે ટંક રોટલા ખાવાનો વારો આવતો હોય છે.આવા વિસ્તારોમાં નિષ્કામ સેવા કરનારા ભડવીરો કોઈપણ પ્રસિદ્ધિ વગર કામ કરતા હોવાથી મારે જવાનું થાય તો મારી કલમ અચૂક જ ઉપડે.
આવી સેવા કરનારા લોકો પર માંડવીના જીતેન્દ્રસિંહ પરમાર ની સાથે અતૂટ નાતો ખરો.આવી જ એક ઘટના બની.વાત ઓક્ટોબર-૨૦૧૩ની છે. શહેરની જાહોજલાલી છોડી ગામમાં આવીને વસેલા ગિરેન શાહની ખેતર ક્રિકેટ એકેડેમીએ આદિવાસી ગામ રૂપણ નાં આદિવાસી માસુમ બાળકોના જીવનમાં અજવાળું પાથરી દીધું.મારે તેમના ઘરે જવાનું થયું ગિરેનભાઈ સજીવ ખેતી સાથે જોડાયેલા હોવાથી મને કહ્યું કે બસ થોડા ભજીયા ખાઈએ. મેં તેમને હસતા મોઢે કહ્યું કે કંઈક ભજીયા ઓર્ગેનિક તો નથીને..!! ગિરેનભાઈ તરત જ કહ્યું કે ના રે ના,ભજીયાનો લોટ દુકાને થી લાવીએ એ ક્યાં ઓર્ગેનિક હોય..!!
માંડવી તાલુકાના ઝંખવાવ રોડ પર રૂપણ ગામ. સીમાડે જ એક વાંસની કામડી અને માટીની દીવાલની સાથે નળિયાંવાળું મકાન જોવા મળે. આજુબાજુના ખેતરમાં ઘટાદાર આંબાની કલમો સહિતનાં વૃક્ષો અને ચોમાસામાં ડાંગરનો પાક. બહારથી કંઈ ખાસ ન લાગતી આ જગ્યા પછાત આદિવાસી પરિવારનાં છોકરાઓ અને છોકરીઆની ક્રિકેટ એકેડેમી છે.ગામડાંની ધરાભૂમિ પર ખેતીના પાક સાથે ક્રિકેટર ઉગાડવાનો ઉદ્યમ કરતા ગિરેન શાહ પોતે કોઇ મોટા ક્રિકેટર ન હોવા છતાં કોઇની પણ આર્થિક મદદ વિના પોતાનું ગાંઠનું ગોપીચંદ ખોઈને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાઇને દેશની સૌથી વધુ પ્રચલિત રમતનો ગ્રામીણ કક્કો ઘૂંટી રહ્યાં છે. ગિરેન શાહ રૂપણ ગામે એવાં બાળકોને તૈયાર કરી રહ્યા છે જેમણે કદી શહેર નથી જોયું, કદી ટ્રેનમાં નથી બેઠાં, જેમના ઘરે સચીનની છેલ્લી ઈનિંગ જોવા માટે ટીવી સેટ પણ નથી. સુખ અને સુવિધા જેમના માટે સ્વર્ગ જેવી ઘટના બનતી હોય છે તેવાં બાળકોને તૈયાર કરવાં કઠિન કામ છે પણ ગિરેન શાહ તે એવી હોંશથી કરે છે કે જોતાં જ દંગ રહી જવાય.આદિભૂમિ પર તેમની ક્રિકેટની ખેતી સો ટચની સાચી નીવડી છે અને ગુજરાત અન્ડર-૧૯ ટીમમાં નબળા પરિવારની ત્રણ છોકરી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૯ ટીમમાં આ એકેડેમીનાં છોકરાં ધૂમ મચાવી રહ્યાં છે.
ગિરેનભાઈ શાહ કોણ છે એ જાણવાની તલાવેલી મારી હતી.આમ તો માતૃપ્રધાન આદિવાસી સંસ્કૃતિમાં સૌથી મોટો સંબંધ મામાનો ગણાય છે. ગિરેનભાઇ શાહના પોતાના વ્યક્તિત્વ પર નજર મારીએ તો એક સમયે મુંબઇ તેમજ અમદાવાદમાં કપાસના વેપારમાં જાણીતા અને ધનાઢ્ય પરિવારના સાકળચંદ નગીનદાસની પેઢીના સુબોધચંદ્ર તેમજ ભાનુમતી શાહના ઘરે જન્મ થયો. આમ તો જન્મથી ધનાઢય હોવાથી શ્રીમંતાઇ જોઈ હતી. અભ્યાસ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ અને અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યો હતો. ૧૯૮૩માં અમદાવાદની આઇઆઇએમમાંથી છ મહિનાનો મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કોર્સ પણ કર્યો હતો. ૧૯૭૭માં પિતાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. વેપાર અને પરિવાર સંયુક્ત હોવાથી થોડો સમય પિતાના વ્યવસાયમાં કામ કર્યું હતું. તેમાં પણ ગિરેનભાઇનું મન લાગતું ન હતું. એ સમયે વાંચનમાં વિનોબા તથા ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા બાદ તેમના વિચાર બદલાયા.ગિરેનભાઈ જાહોજલાલીવાળું જીવન છોડીને સાદગી તરફ વળ્યાં.ભૂતકાળને વાગોળતાં તેઓ કહે કે " ૧૯૮૨માં નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું ત્યારે પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય એમ બધાં કહેવા લાગ્યા કે ગાંડો થઇ ગયો છે ? જો કે હું મક્ક્મ હતો. ૧૯૮૩માં સત્યના પ્રયોગો વાંચ્યા બાદ ખાદી અપનાવી લીધી. એ સમયે ઘરમાં ગાડી હતી અને જાહોજલાલી હતી, એ બધું જ છોડી દીધું. કોઇનું કે સમાજનું કલ્યાણ કરી નાંખવાનો પણ કોઈ ઈરાદો ન હતો પણ વિનોબાને વાંચ્યા બાદ એવો નિર્ધાર કર્યો કે ગામડાંમાં જઇને ખેતી કરવી." ગિરેનભાઈના પરિવારમાં માતા ભાનુમતીબહેન તેમજ બહેન ચિત્રા અમેરિકાના એટલાન્ટામાંં રહે છે. તમામ માયા છોડીને તેઓ અમદાવાદથી માંડવીમાં આવ્યા. અહીં તેમને સ્વાતંત્ર્યસેનાની રામચંદ્ર ઉપાધ્યાયની મદદ મળી અને ૧૮૮૫માં રૂપણમાં જમીન લીધી અને ખેતીની શરૂઆત કરી દીધી.ગિરેનભાઈએ બજારથી દૂર રહીને પોતાની જરૂરિયાત ઘટાડવાનું અને શક્ય હોય તે તમામ વસ્તુઓ જાતે જ પકવવાનું શરૂ કર્યું છે. ગિરેન શાહ કહે છે કે "અમદાવાદ માતાને છોડીને રૂપણમાં વસવાટ કર્યો ત્યારે એક સામાન્ય ઘર બનાવેલું જે લાંબું ટકી ન શક્યું એટલે ૧૯૯૩માં વાંસ અને માટીનું ઘર સ્થાનિક લોકોની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હતુું. આ ઘર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. પાંચ એકરની જમીનમાં આંબા, જમરૂખ, જાંબુ, નાળિયેર, વાંસ અને સાગ સહિત ૮૦૦થી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. પહેલાં ગાય અને બળદની પણ સમજણ ન હતી હવે ઢોરનું વાસીદું પણ કરું છું." ખેતીની સાથે આજુબાજુનાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવતા ગિરેન શાહે છ આદિવાસી બાળકોને એમના વિકાસ માટે લગભગ દત્તક લીધાં છે. કાયદાની ભાષામાં જેને દત્તક કહી શકાય એવી રીતે નહીં, બાળકો ફુલટાઇમ ગિરેનભાઇના ઘરમાં રહે છે અને માંડવી ભણવા જાય છે. આ બાળકો ગિરેન શાહની પાસે કામ કરતા લોકોનાં છે.
આ ખેતર, ક્રિકેટ એકેડેમીનો ક્યારે પ્રયોગ થયો. જે બાબતે ગિરેનભાઇ કહે છે કે, " પાંચેક વર્ષ પહેલાં અજય ચૌધરી અને તેની બહેન સુરાલી મારા ઘરે રહીને ભણવા આવ્યાં હતાં. એ લોકો ગજબની સ્ફૂર્તિ સાથે ઝાડ પર ચઢી જતાં હતાં. એમની ફિટનેસ જોઇને મને લાગ્યું કે એમને યોગ્ય દિશા આપવી જોઇએ. દિશાની શોધમાં મને ક્રિકેટનું સૂઝ્યું. ક્રિકેટમાં મને પણ રસ હતો. પહેલાં અજય રમતો હતો. પછી પ્રકાશ ચૌધરી અને ધર્મેશ ચૌધરી જોડાયા. છોકરીઓમાં અંજના અને કૃતિકા ચૌધરી રમવા આવી. પાંચ વર્ષમાં આ એકેડેમીમાં આજ સુધીમાં લગભગ ૪૦૦થી વધુ છોકરાં આવીને જતાં રહ્યાં હશે. કેટલાંક ટકી ગયાં, જે આજે પણ રમે છે. અનાયાસે શરૂ થયેલી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ આજે રાજ્યની ટીમ સુધી પહોંચ્યાં છે. ગુજરાત અન્ડર-૧૯ મહિલા ટીમમાં પ્રજ્ઞા ચૌધરી, અંજના ચૌધરી અને રેણુકા ચૌધરી રમી ચૂક્યાં છે. પ્રજ્ઞા ચૌધરી તો અન્ડર-૧૯ મહિલા ટીમની વાઇસ કેપ્ટન પણ બની છે. સુરતના વડીલ ક્રિકેટ કોચ બશીર ગોલંદાજે અમારા છોકરાઓની ક્રિકેટની રમત સુધારવામાં ખૂબ જ મદદ કરી છે."
ગિરેન શાહ કહે , પોતાના ખર્ચે તથા જોખમે બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. મેં જ્યારે પારિવારિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મારે ભાગે આવેલી સંપત્તિનું મેં યોગ્ય રોકાણ કરેલું એમાંથી જે આવક આવે છે તેનાથી કામ ચાલે છે. મેં મારી અંગત જરૂરિયાત ઘટાડી છે એટલે કોઈ બોજ રહેતો નથી. પહેલાં મારી માની જવાબદારી હતી, હવે કંઇ નથી. બહેન અમેરિકામાં રહે છે એટલે તેની પણ વિશેષ જવાબદારી નથી. હું નિરાંતે મને ગમતું કામ કરી શકું છું."સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનનો સહયોગ પણ મળી રહ્યો છે પણ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વધુ મદદરૂપ થાય તો બાળકોને વધારે સારી રીતે તૈયાર કરી શકાય.
સંદેશ અખબારના તા-૩૦મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ અર્ધ સાપ્તાહિકમાં મે આર્ટિકલ લખ્યો. ગિરેનભાઈની કામ કરવાની ધગશ જોતા ક્રિકેટ એકેડેમીમાં દીકરીએ તેમના પરિવાર માટે પણ સહારો બન્યો છે.ગિરેન શાહે તૈયાર કરેલી મહિલા ક્રિકેટર પ્રજ્ઞા ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી ટૂંકી ખેતી પાંચ દીકરા અને પાંચ દીકરીઓને કારણે તેમના ભરણ-પોષણ માટે સક્ષમ ન હતા. વળી, રત્નકલાકારની નોકરીમાં પણ મંદી આવી હતી. અન્ડર-૧૯માં ગુજરાત મહિલા ક્રિકેટમાં સિલેક્ટ થયા બાદ મળેલી ૫૧ હજારની મસમોટી રકમથી આજે માનસિંગના ખેતરમાં ટયુબવેલ લાગી છે. ક્રિકેટની મહેનતના પૈસાથી જમીન હરિયાળી બની છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના બળતલ ગામની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી રેણુકા ચૌધરીએ ગુજરાત અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ રમીને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાના પરિવાર માટે ઘરનું ઘર બનાવ્યું છે.
આવી સેવા કરનારા લોકો પર માંડવીના જીતેન્દ્રસિંહ પરમાર ની સાથે અતૂટ નાતો ખરો.આવી જ એક ઘટના બની.વાત ઓક્ટોબર-૨૦૧૩ની છે. શહેરની જાહોજલાલી છોડી ગામમાં આવીને વસેલા ગિરેન શાહની ખેતર ક્રિકેટ એકેડેમીએ આદિવાસી ગામ રૂપણ નાં આદિવાસી માસુમ બાળકોના જીવનમાં અજવાળું પાથરી દીધું.મારે તેમના ઘરે જવાનું થયું ગિરેનભાઈ સજીવ ખેતી સાથે જોડાયેલા હોવાથી મને કહ્યું કે બસ થોડા ભજીયા ખાઈએ. મેં તેમને હસતા મોઢે કહ્યું કે કંઈક ભજીયા ઓર્ગેનિક તો નથીને..!! ગિરેનભાઈ તરત જ કહ્યું કે ના રે ના,ભજીયાનો લોટ દુકાને થી લાવીએ એ ક્યાં ઓર્ગેનિક હોય..!!
માંડવી તાલુકાના ઝંખવાવ રોડ પર રૂપણ ગામ. સીમાડે જ એક વાંસની કામડી અને માટીની દીવાલની સાથે નળિયાંવાળું મકાન જોવા મળે. આજુબાજુના ખેતરમાં ઘટાદાર આંબાની કલમો સહિતનાં વૃક્ષો અને ચોમાસામાં ડાંગરનો પાક. બહારથી કંઈ ખાસ ન લાગતી આ જગ્યા પછાત આદિવાસી પરિવારનાં છોકરાઓ અને છોકરીઆની ક્રિકેટ એકેડેમી છે.ગામડાંની ધરાભૂમિ પર ખેતીના પાક સાથે ક્રિકેટર ઉગાડવાનો ઉદ્યમ કરતા ગિરેન શાહ પોતે કોઇ મોટા ક્રિકેટર ન હોવા છતાં કોઇની પણ આર્થિક મદદ વિના પોતાનું ગાંઠનું ગોપીચંદ ખોઈને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાઇને દેશની સૌથી વધુ પ્રચલિત રમતનો ગ્રામીણ કક્કો ઘૂંટી રહ્યાં છે. ગિરેન શાહ રૂપણ ગામે એવાં બાળકોને તૈયાર કરી રહ્યા છે જેમણે કદી શહેર નથી જોયું, કદી ટ્રેનમાં નથી બેઠાં, જેમના ઘરે સચીનની છેલ્લી ઈનિંગ જોવા માટે ટીવી સેટ પણ નથી. સુખ અને સુવિધા જેમના માટે સ્વર્ગ જેવી ઘટના બનતી હોય છે તેવાં બાળકોને તૈયાર કરવાં કઠિન કામ છે પણ ગિરેન શાહ તે એવી હોંશથી કરે છે કે જોતાં જ દંગ રહી જવાય.આદિભૂમિ પર તેમની ક્રિકેટની ખેતી સો ટચની સાચી નીવડી છે અને ગુજરાત અન્ડર-૧૯ ટીમમાં નબળા પરિવારની ત્રણ છોકરી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૯ ટીમમાં આ એકેડેમીનાં છોકરાં ધૂમ મચાવી રહ્યાં છે.
ગિરેનભાઈ શાહ કોણ છે એ જાણવાની તલાવેલી મારી હતી.આમ તો માતૃપ્રધાન આદિવાસી સંસ્કૃતિમાં સૌથી મોટો સંબંધ મામાનો ગણાય છે. ગિરેનભાઇ શાહના પોતાના વ્યક્તિત્વ પર નજર મારીએ તો એક સમયે મુંબઇ તેમજ અમદાવાદમાં કપાસના વેપારમાં જાણીતા અને ધનાઢ્ય પરિવારના સાકળચંદ નગીનદાસની પેઢીના સુબોધચંદ્ર તેમજ ભાનુમતી શાહના ઘરે જન્મ થયો. આમ તો જન્મથી ધનાઢય હોવાથી શ્રીમંતાઇ જોઈ હતી. અભ્યાસ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ અને અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યો હતો. ૧૯૮૩માં અમદાવાદની આઇઆઇએમમાંથી છ મહિનાનો મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કોર્સ પણ કર્યો હતો. ૧૯૭૭માં પિતાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. વેપાર અને પરિવાર સંયુક્ત હોવાથી થોડો સમય પિતાના વ્યવસાયમાં કામ કર્યું હતું. તેમાં પણ ગિરેનભાઇનું મન લાગતું ન હતું. એ સમયે વાંચનમાં વિનોબા તથા ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા બાદ તેમના વિચાર બદલાયા.ગિરેનભાઈ જાહોજલાલીવાળું જીવન છોડીને સાદગી તરફ વળ્યાં.ભૂતકાળને વાગોળતાં તેઓ કહે કે " ૧૯૮૨માં નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું ત્યારે પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય એમ બધાં કહેવા લાગ્યા કે ગાંડો થઇ ગયો છે ? જો કે હું મક્ક્મ હતો. ૧૯૮૩માં સત્યના પ્રયોગો વાંચ્યા બાદ ખાદી અપનાવી લીધી. એ સમયે ઘરમાં ગાડી હતી અને જાહોજલાલી હતી, એ બધું જ છોડી દીધું. કોઇનું કે સમાજનું કલ્યાણ કરી નાંખવાનો પણ કોઈ ઈરાદો ન હતો પણ વિનોબાને વાંચ્યા બાદ એવો નિર્ધાર કર્યો કે ગામડાંમાં જઇને ખેતી કરવી." ગિરેનભાઈના પરિવારમાં માતા ભાનુમતીબહેન તેમજ બહેન ચિત્રા અમેરિકાના એટલાન્ટામાંં રહે છે. તમામ માયા છોડીને તેઓ અમદાવાદથી માંડવીમાં આવ્યા. અહીં તેમને સ્વાતંત્ર્યસેનાની રામચંદ્ર ઉપાધ્યાયની મદદ મળી અને ૧૮૮૫માં રૂપણમાં જમીન લીધી અને ખેતીની શરૂઆત કરી દીધી.ગિરેનભાઈએ બજારથી દૂર રહીને પોતાની જરૂરિયાત ઘટાડવાનું અને શક્ય હોય તે તમામ વસ્તુઓ જાતે જ પકવવાનું શરૂ કર્યું છે. ગિરેન શાહ કહે છે કે "અમદાવાદ માતાને છોડીને રૂપણમાં વસવાટ કર્યો ત્યારે એક સામાન્ય ઘર બનાવેલું જે લાંબું ટકી ન શક્યું એટલે ૧૯૯૩માં વાંસ અને માટીનું ઘર સ્થાનિક લોકોની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હતુું. આ ઘર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. પાંચ એકરની જમીનમાં આંબા, જમરૂખ, જાંબુ, નાળિયેર, વાંસ અને સાગ સહિત ૮૦૦થી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. પહેલાં ગાય અને બળદની પણ સમજણ ન હતી હવે ઢોરનું વાસીદું પણ કરું છું." ખેતીની સાથે આજુબાજુનાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવતા ગિરેન શાહે છ આદિવાસી બાળકોને એમના વિકાસ માટે લગભગ દત્તક લીધાં છે. કાયદાની ભાષામાં જેને દત્તક કહી શકાય એવી રીતે નહીં, બાળકો ફુલટાઇમ ગિરેનભાઇના ઘરમાં રહે છે અને માંડવી ભણવા જાય છે. આ બાળકો ગિરેન શાહની પાસે કામ કરતા લોકોનાં છે.
આ ખેતર, ક્રિકેટ એકેડેમીનો ક્યારે પ્રયોગ થયો. જે બાબતે ગિરેનભાઇ કહે છે કે, " પાંચેક વર્ષ પહેલાં અજય ચૌધરી અને તેની બહેન સુરાલી મારા ઘરે રહીને ભણવા આવ્યાં હતાં. એ લોકો ગજબની સ્ફૂર્તિ સાથે ઝાડ પર ચઢી જતાં હતાં. એમની ફિટનેસ જોઇને મને લાગ્યું કે એમને યોગ્ય દિશા આપવી જોઇએ. દિશાની શોધમાં મને ક્રિકેટનું સૂઝ્યું. ક્રિકેટમાં મને પણ રસ હતો. પહેલાં અજય રમતો હતો. પછી પ્રકાશ ચૌધરી અને ધર્મેશ ચૌધરી જોડાયા. છોકરીઓમાં અંજના અને કૃતિકા ચૌધરી રમવા આવી. પાંચ વર્ષમાં આ એકેડેમીમાં આજ સુધીમાં લગભગ ૪૦૦થી વધુ છોકરાં આવીને જતાં રહ્યાં હશે. કેટલાંક ટકી ગયાં, જે આજે પણ રમે છે. અનાયાસે શરૂ થયેલી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ આજે રાજ્યની ટીમ સુધી પહોંચ્યાં છે. ગુજરાત અન્ડર-૧૯ મહિલા ટીમમાં પ્રજ્ઞા ચૌધરી, અંજના ચૌધરી અને રેણુકા ચૌધરી રમી ચૂક્યાં છે. પ્રજ્ઞા ચૌધરી તો અન્ડર-૧૯ મહિલા ટીમની વાઇસ કેપ્ટન પણ બની છે. સુરતના વડીલ ક્રિકેટ કોચ બશીર ગોલંદાજે અમારા છોકરાઓની ક્રિકેટની રમત સુધારવામાં ખૂબ જ મદદ કરી છે."
ગિરેન શાહ કહે , પોતાના ખર્ચે તથા જોખમે બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. મેં જ્યારે પારિવારિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મારે ભાગે આવેલી સંપત્તિનું મેં યોગ્ય રોકાણ કરેલું એમાંથી જે આવક આવે છે તેનાથી કામ ચાલે છે. મેં મારી અંગત જરૂરિયાત ઘટાડી છે એટલે કોઈ બોજ રહેતો નથી. પહેલાં મારી માની જવાબદારી હતી, હવે કંઇ નથી. બહેન અમેરિકામાં રહે છે એટલે તેની પણ વિશેષ જવાબદારી નથી. હું નિરાંતે મને ગમતું કામ કરી શકું છું."સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનનો સહયોગ પણ મળી રહ્યો છે પણ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વધુ મદદરૂપ થાય તો બાળકોને વધારે સારી રીતે તૈયાર કરી શકાય.
સંદેશ અખબારના તા-૩૦મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ અર્ધ સાપ્તાહિકમાં મે આર્ટિકલ લખ્યો. ગિરેનભાઈની કામ કરવાની ધગશ જોતા ક્રિકેટ એકેડેમીમાં દીકરીએ તેમના પરિવાર માટે પણ સહારો બન્યો છે.ગિરેન શાહે તૈયાર કરેલી મહિલા ક્રિકેટર પ્રજ્ઞા ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી ટૂંકી ખેતી પાંચ દીકરા અને પાંચ દીકરીઓને કારણે તેમના ભરણ-પોષણ માટે સક્ષમ ન હતા. વળી, રત્નકલાકારની નોકરીમાં પણ મંદી આવી હતી. અન્ડર-૧૯માં ગુજરાત મહિલા ક્રિકેટમાં સિલેક્ટ થયા બાદ મળેલી ૫૧ હજારની મસમોટી રકમથી આજે માનસિંગના ખેતરમાં ટયુબવેલ લાગી છે. ક્રિકેટની મહેનતના પૈસાથી જમીન હરિયાળી બની છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના બળતલ ગામની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી રેણુકા ચૌધરીએ ગુજરાત અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ રમીને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાના પરિવાર માટે ઘરનું ઘર બનાવ્યું છે.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આર્ટિકલ લખ્યો અને ખાપરમા આંગણવાડી મળી ગઈ..!!
લગભગ ચારેક વર્ષ પહેલાની ઘટના છે સો રૂપિયાની નોટ મે આદિવાસી નાના અને માસુમ બાળકોને આપી..!! નાના બાળકો ગામઠી ભાષામાં મને પૂછવા લાગ્યા "સાહેબ" પૈસાને હું કરૂ...? સાથે ઉભેલા આઠ થી દસ બાળકોના ટોળા મેં કહ્યું કે તમને ચોકલેટ કે બિસ્કિટ અથવા જે ખાવું હોય તે લાવીને ખાઈ લો...!! આ વાત કહેતા નાના બિચારા બાળકોને આનંદ આવી ગયો હોય તેમના મોઢે હરખ જોવા મળતો, કારણ કે આજની લોકશાહીમાં આ ગામના લોકોને હજુ માનવી ગણતા નથી..!!
આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.
આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
માતૃત્વનો નિર્દોષભાવ
માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...
-
નદીઓ રડી, ધરતી રડી, આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ, પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ, દેશપ્રેમ જેના લોહીમા...
-
ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની...
-
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહ...












