બાપ દીકરીના સંવાદમાં બદલાયેલી ભાષા કે જનરેશન ગેપ વચ્ચે કયારેય નહીં આવે !!


દીકરી અને પિતાનો સંબંધ જેટલો લખાયો છે એનાં કરતા વધારે જીવંત બન્યો છે.દીકરી એટલે અધિકાર એને માટે બાપ ગરીબ કે શ્રીમંત નથી હોતો.એને માટે પિતા હક કરવાની છેલ્લી અને સૌથી પહેલી વ્યક્તિ છે.દીકરીને જોઇતી વસ્તુઓનું લીસ્ટ ક્યારેય પુરૂ થતું જ નથી.પિતાના ખિસ્સા હોય નહી તો પણ દીકરીની વસ્તુ લાવવા માટે પૈસા આવી જાય છે.પિતાની ઉદાસી જેને સૌથી પહેલી ખબર પડે છે એજ દીકરી છે. દીકરી પિતા આગળ હસે એવું નિર્દોષ હાસ્ય જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. 

દીકરીને‌ પિતાને પટાવવાની આવડત એનામાં જન્મજાત ઊગી હોય છે. એ કોઇની મહોતાજ નથી જ્યાં સુધી એના પિતાનો એને સંગાથ છે.સંઘર્ષનું સત્ય એણે પિતાના જીવનમાં જોયું હોય છે અને એને એ પણ ખબર છે કે પિતાએ સંઘર્ષને એમના પૂરતો સીમીત રાખ્યો છે. ક્યારેય કુટુંબ પર આવવા દિધો નથી.પિતાને દીકરીની ખુશીઓની ખબર નથી. દીકરીને પિતાના આનંદની ખબર છે. 

આ સંબંધ દરેક સંબંધોમાં જીવતર બની છે.દીકરીને બધું જ આપી દીધા પછી ખાલી થઇ ગયેલા પિતા પાસે હજુ પણ કંઇક ને કઇક તો આપવાનું નિકળશે જ. દીકરીનો બાપ દરિયાદિલ –વજ્ર જેવો કઠોર અને વાસ્તવિક્તાને તરત સમજનારો હોય છે. અને દીકરી  બિન્દાસ્ત, તોફાની, વસ્તુઓની કશી જ ન પ઼ડી હોય એની, દીકરી પિતાને હારવા નથી દેતી. 

​બંનેના સંવાદમાં બદલાયેલી ભાષા અને જનરેશન ગેપ વચ્ચે કયારેય નથી આવતો.જમાના સાથે ચાલવાનું કહેતી દીકરીને પિતા જમાનાના મૂલ્યોની વાત સમજાવે છે. વાત બંનેની સાચી છે અને બંને જણા થોડીકવાર મુંગા થઇને પાછા બીજી કોઇ વાત પર ચડભડ કરે છે. દીકરી સાસરે જાય છે પિતાની આદતોને સાથે લઇને જાય છે. આ વાતની જાણ દીકરીને અને સાસરાના ઘરના અરીસાને હોય છે. નાની નાની પગલીઓથી આજે વિરાટ પગલાં ભરતી દીકરીઓને જોઇને જે એવાને એવા જ જીવે છે એ પિતા છે.દીકરી બધું જ જાણે છે. ધારે તો પિતાને સુધારી શકે છે. બાળપણમાં પિતાએ દીકરીને સ્વતંત્રતા આપી હતી હવે દીકરી પિતાને સ્વતંત્રતા આપે છે. પિતા એ છે જે દીકરી વિદાય પછી એકલો ન પડી જાય માટે આનંદ આવે કે ન આવે પણ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. પિતાનો દરેક બાબતમાં સ્વીકારવું થઇ જવાનો સ્વભાવ દીકરી માટે લગન પછી આદત બની જાય છે. દીકરીઓને કશું જ શીખવાડવું પડતુ હોતુ નથી. દરેક પિતા માટે એની દીકરી થોડીક ડોબી, થોડીક લુચ્ચી અને સહુથી વધુ વ્હાલી હોય છે.દરેક પિતાની ફરિયાદ પણ હોય છે કે મારી દીકરી હજુ મેચ્યોર નથી થઇ.હંમેશા ભૂલો કાઢ્યા જ કરે છે. દીકરીનું પણ સામે એવું જ હોય છે.

આદતોને સ્વીકાર કરવા માટેનું સ્થળ એ પીયર. પપ્પાના સ્વભાવને વાતે વાતે વારે વારે અમલમાં મૂકવાનું સ્થળ તે સાસરૂં,. જ્યાં સંબંધ, સ્વભાવ, આદત, જીંદગી કશું જ કામ ન આવે અને તો પણ દીકરીને પિતા અને પિતાને દીકરી યાદ આવે એ અન્નજળ. ક્યારેય ખાલીપો કે ક્યારેય સુકાઇ ન જાય તેવું જળ. “પપ્પા ઘરે બરાબર ઉંઘે તો છેને?” દીકરીની તબિયત બરાબર છેને? બંને પાત્રોને ઊંઘ ચિંતા હોય ત્યારે જ સંબંધમાં પવિત્રતા છે.



એકાંતમાં સગર્ભા માતાએ દોરેલું ચિત્રથી તેનો બાળક દુનિયાનો શ્રેષ્ઠ ચિત્રકાર બન્યો: વક્તા પ્રણેશ પાટીદાર

એક સગર્ભા મહિલા એકાંતમાં ચિત્ર દોરતી હોય અને તેનો વહાલસોયો દિકરાના જન્મ થયા બાદ દુનિયાનો સૌથી મોટો ચિત્રકાર બન્યો.માતાના લક્ષણ દિકરામાં ઉતરે.આ સાથે ૧૯૨૦ની સાલમાં અમેરિકા પર રિસર્ચના રીપોર્ટ પ્રમાણે ત્યાંની ૬૦ ટકા મહિલાઓ બીમારીને કે હેલ્થને કારણે માં બનવાને લાયક નથી. આ શબ્દો જિલ્લાનું એકમાત્ર અંકલેશ્વરની તપોવન સંસ્કાર કેન્દ્રમાં પ્રણેશ પાટીદારે સગર્ભા બહેનોને કહ્યા હતા.
     લગભગ દસેક દિવસ પહેલા અંકલેશ્વર ખાતે ૩૫ જેટલા સગર્ભા બહેનોનાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ પાટીદારે કહ્યુ કે ગર્ભ ધારણ માત્ર મહિલાઓ જ કરતી હોય છે.જો કે અગાઉ એક પુરૂષ ગભઁ ધારણની ઇચ્છા જાગી.અંતે કહ્યુ કે બાળકને જન્મ માત્ર માતા જ આપી શકે છે.બાળકને ઘડતર કરવાનો  ૮૦ ટકા ફાળો માત્ર માતા જ આપી શકે છે.
     સગર્ભા માતાની વાતો દિકરામાં હોવાનો એક કિસ્સો જણાવ્યો હતો કે ઇટલી સગર્ભા માતા ફ્રાન્સસીસકાએ એકાંતમાં એક ચિત્ર બનાવ્યુ.એજ મહિલાને તા-૬ઠી  માર્ચ ૧૪૭૫એ એક બાળકનો જન્મ થયો. સગર્ભા મહિલાના ચિત્ર જાણે ટ્રાન્સફર થયા હોય એમ બાળક મોટો થયો હોય માઇકલેએન્જીલો નામનો માણસ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર બની ગયો.તેને આજે  વેસ્ટર્ન આર્ટ જનક કહેવાય છે.ઇશ્વર ધારે એ બાળકને યુનિક બનાવી શકે છે.
    વધુમાં એક અમેરિકન રિસર્ચ કહ્યુ કે  ૧૯૨૦માં લેકીએ અમેરિકા પર રિસર્ચ કરીને કહ્યુ હતુ કે અમેરીકાની ૬૦ ટકા મહિલાઓ માં બનવાને લાયક નથી.આ મહિલાઓ બિમારી અને હેલ્થને માતા બનવાને લાયક નથી.તેની જગ્યાએ ભારતીય પરંપરા અનોખી છે.
   ભારતીય પરંપરાની વાત કરતા કહ્યુ કે ભારત દેશમાં શાસ્ત્રીય સંગીત ગાયક ભીમસેન જોશીનું નામ આવે છે.તેમના શબ્દો કહુ તો મારી ગાતી માતા હતી તેને મેં ઉઠાવ્યુ છે. મહિલાઓમાં પુરૂષ કરતા ચાર ગણુ સાહસ છે.અંતે સગર્ભા બહેનોએ દ્વેષભાવ અને ઈર્ષાના વિચારો ન લાવતાં  તેની તમારા તમારા બાળક પર પડે છે.

તું આંખોની પલકથી.....!!!



તું આંખોની પલક જેવી થઇ ગઈ,

નજરે જોયા વિના સૌને સુકૂન ન થાય,

તું મોહક,આકર્ષક,આનંદી અને સુંદરતાની મહેક,
અને સર્જનાત્મક અને હાવભાવમાં મૈત્રીપૂર્ણ 

તને વાંચવું પણ મુશ્કેલ અને લખવાની તાકાત જોયે
હજારો ચહેરોમાં તારી ઝલક જોઈ પર આફ્રિન થઇ જાય

નસીબનો વરસાદ સૌના પર એવો કે
ખ્યાઇસ સુકાઈ રહીને અને આંખની પલક ભીની થઇ જાય 

તારો સુહામણો ચહેરો આંખોમાં છલકે જામ,
શબ્દોના સરનામે જવા કાંટાનો માર્ગ સહેવા પડે.

                   - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૧૩મી ફેબ્રુઆરી-૨૦૧૯)

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...