"મારુ નામ આપજે તારું કામ થઇ જશે"- હરિસિંહનાનાની સાફ વાત કરવાની શૈલી હતી અને પલવારમાં કામ થયું -આજના સમયમાં હરિસિંહનાના જેવા માનવી શોધવા ખુબ જ કઠિન

 



    મહાપુરુષ હરિસિંહ નાનાના આજે સંસ્મરણો યાદ કરવા પડે..!!  "મારુ નામ આપજે તારું કામ થઇ જશે"- હરિસિંહ નાનાની સાફ વાત કરવાની શૈલી હતી અને પલવારમાં કામ થયું  -આજના સમયમાં હરિસિંહનાના જેવા માનવી શોધવા ખુબ જ કઠિન

        વાલિયાનો એક પરિવાર હરિસિંહનાના ના ઘરે એક કામ માટે ગયા. કોલેજકાળમાં પોતાના ભૈરૂ માટે રહેવાની વ્યવસ્થા કરવાના કામે જતા નાનાએ પૂછ્યું "બોલ શું કામ હતું..!! પોતાના ભાઈ માટે નાનાને કહ્યું કે હાલ નાના મારો ભાઈ કોલેજ કરે છે.તેને રહેવાની આ વ્યક્તિને પત્ર લખો તો વ્યવસ્થા થઇ જાય. હરિસિંહનાનાએ કહ્યું કે મારૂ નામ લઈને એ વ્યક્તિને મળો તારું કામ થઇ જશે..!! પત્ર ન લખ્યો એટલે કામ લઈને આવેલા થોડા અવઢવમાં કામ થશે કે નહિ એ વિચારોમાં પડી ગયા.

        બીજા દિવસે જે વ્યક્તિ ને મળવા જતા અને મળી કહ્યું કે "તમારી પાસે હરિસિંહનાના એ મોકલ્યો છે.એ વ્યક્તિનો એવો જવાબ આપ્યો કે "હા,મને ગઈકાલે ફોન પર નાનાએ જાણ કરી છે.અને જોત જોતામાં પલવારમાં કામ થઇ ગયું..!!આ ઘટના બનતા તેઓ અચંબામાં પડ્યા,

      આજે  હરિસિંહનાના જેવા મહાપુરુષ શોધવા અઘરા હોય.તેમના સ્મરણો આજે પણ યાદ કરવા પડે.ભૂતકાળમાં ભરૂચનો પૂર્વભાગ વાલિયા જેવા વિસ્તારમાં દીકરીઓ અંકલેશ્વર કે ભરૂચ અભ્યાસ કરવા આવે.કોઈક અઇચ્છનીય ઘટના બને તો સૌનું ઉકળી ઉઠે.

એ સમયે હરીસિંહ નાના હયાત હતા લોકોની નાડ પારખી. પેચીદો પ્રશ્ન માટે નાનાએ પ્રબુદ્ધ આગેવાનોએ વિમર્સ કરીને એવો નિર્ણય કયો કે વાલિયામાં માત્ર મહિલા કોલેજ બનાવવી.તેમનું સ્વપ્નું સાકાર અને આજે મૂર્તિમંત થઇ ગયું.નાનાએ આપેલી દેન આજની ભાવી પેઢી તેનો ઉપયોગ કરે છે.એ વાતથી સૌને સંતોષ થાય.

સ્વ.હરિસિંહ મહીડા ને વાલિયા સહીત આખું ભરૂચ જીલ્લો હુલામણું નામ "હરિસિંહનાના" તરીકે ઓળખે.હરિસિંહનાના ના કામો જોઇને આજે પણ માનવીઓના માનસપટલ પર છવાયેલા રહે છે.

હરિસિંહનાના  સારાવક્તા, કુશળવહીવટકર્તા, નિખાલસ,દરીયાદીલના,નાટકમાં ઊંડો રસ અને રાજકારણમાં પડતા પહેલા નાટકોના પ્રોગ્રામ ગોઠવતા એટલે હરિસિંહ મહીડાનું નામ આવે .ભરૂચ જીલ્લાના અઠંગ નેતા અને અભિનેતાનું ભૂતકાળમાં જેણે કામ કર્યું હતું.ત્યારે સિંચાઈનું પાણી ન હોય એવા સુકાભઠ વિસ્તારમાં ગણેશ સુગર ફેક્ટરી લાવીને ગુજરાતમાં આજે બેનમુન બનાવી એ ઉત્તમ ઉદાહરણ છે.માટે હરિસિંહ નાના કહેવું હોય તો શિક્ષણ,પંચાયત ધારો,સહકારી માળખું,ગાંધીનગરમાં મંત્રીપદ બનીને વહીવટમાં ભારે પકડથી ગરીબ માણસનું કામ કરવાની તેમના ત્રેવડ હતી.

    ભરૂચના પીઢ નેતા મર્હુમ અહેમદભાઈ પટેલ ભૂતકાળમાં તેમની યુવાનીમાં ભરૂચની જે.પી.આર્ટસ કોલેજમાં બીએસસીમાં વિધાર્થી તરીકે અને વાંચન,સંગીત અને કલ્ચરલ પ્રોગ્રામ જોવાનો અતુટ શોખ.તે વખતે કોંગ્રેસનો ગુજરાતમાં ડંકો વાગતા હરિસિંહ મહીડાની નજર નવયુવાન અહેમદ પટેલ ચઢી ગઈ.તેની આંગળી પકડીને રાજકારણમાં લઇ આવ્યા.હરિસિંહ નાનાને નાટકમાં ઉંડો રસ હતો.અભિનય સમ્રાટ તરીકે તેમના નાટકો પર અસર દેખાતી હતી.તેઓ નાટકોમાં સ્વ.રત્નસિંહ મહીડા સાથે શંકર-પાર્વતી નું પાત્ર ભજવતા.આ સાથે તેઓ રાજકારણનો રંગ લાગતા ગ્રામ્ય વિસ્તારોના કામ માટે કલેકટરને કહેવાનું ન હોય .એટલું જ નહિ પણ મીટીંગમાં તેમના કુશળતા રૂપ દેખાતા હતા.તેઓ બીજીબાજુ રમુજથી પણ વિરોધીને પણ શમાવી દેતા હતા.ખાસ કરીને ગરીબ માણસનું ક્ષણવારમાં કામ થઇ જાય એવી હરિસિંહ નાનામાં અદભૂત અનુભૂતિ હતી .આજે પણ હરિસિંહ નાનાના કામોની વાતો કરીને બુદ્ધિજીવીઓ અને ચાહક વર્ગ તેમને યાદ કરે છે .તેમણે ઉભી કરેલી વિરાસત બેનમુન સંસ્થાઓ ચાલતી હોવાથી તેઓ આજે પણ પથદર્શક બની રહ્યા છે.

 

માતાને માસુમ ગરીબડી દીકરીની યાદ આવતા બજારમાં આખરે ધાવણથી કપડા ભીજાઈ ગયા..!!

 


માનવીના જીવનમાં દીકરીની વાત આવે એટલે સંવેદનશીલ બનતો હોય છે.ઘણા  મોબાઈલ ફોન આવે,વોટ્સ અપ પર  મેસેજ આવે અને  એફબી પર ચેટમાં મને એમ કહે કે તમે દીકરી પર કંઈક સારૂ લખો..!! ત્યારે ઘણાને મારે એવું  પડે કે લખી તો  પણ એક શરત..!! તેઓ મને કહે કે શું બોલોને..!! શરત એટલી કે તમારે પ્રસંગો જોઈને રડવાનું  નહિ..!! ઘણા એ સ્વીકારી પણ કેટલાકે મને કહ્યું કે ઓકે જોઈશું..!!  
   મને થયું કે કંઈક દીકરી પર લખવું જોઈએ.ગામડાની વાત છે.પોતાની નાનકડી વહાલસોયી દીકરીને પાડોશમાં મુકીને તેની માતા જંગલમાં કાપવા ગઈ હોય.ગરીબાઈમાં પોતાની વહાલી દીકરીને મને નહિ પણ કમને પાડોશમાં મુકીને માતા લાકડા કાપવા જવાનું કામ કરતી હોય છે.ભારે પરિશ્રમ કરીને લાકડાનો ભારો લઈને બજારમાં આવીને ઉભી રહે છે.ક્યારેક કુદરત માનવીની પણ કસોટી કરતો હોય છે.જેમાં એક પૈસાદાર શેઠાણી આવીને લાકડાનો ભરો જોઇને તેનું મુલ્ય કરવા લાગ્યા .!!
શેઠાણીએ એમ પૂછયું કે આ ભારો કેટલામાં આપવો છો .? ગરીબ અને નિર્દોષ મને એ માતા કહ્યું કે આ ભારાના રૂ।.૨૫/-માં આપી દઈશ.પેલા શેઠાણીએ કહ્યું કે આના રૂ।.૨૫/-માં ન આવે આ ભારો માત્ર રૂ।.૧૨/-જ આવે .!!!
આખો દિવસ પરસેવે રેબઝેબ અને જેમ તેમ મજુરી કરીને લાકડા કાપ્યા હોય એ બાઈને એમ થયું હોય કે મારી દીકરી ભૂખી થઇ હશે .કઝીએ ચઢી હશે.પોતાની માસુમ દીકરીને યાદ કરીને તેના કપડા ભીના થઇ ગયા હોય અને કપડા પણ ધાવણથી ભીજાઈ ગયું હોય .એ શેઠાણી રોડ પકડીને આગળ જતી વેળા દીકરીની યાદમાં આ ગરીબ બાઈએ શેઠાણીને ઉભા રાખ્યા. અને દીકરી ભૂખી થઇ હશે તેની ઉતાવળમાં શેઠાણીને રૂ।.૨૫/-નો ભારો આખરે રૂ।.૧૨/-માં આપી દિધો. બાઈએ ભારો ઓછા પૈસે આપીને દીકરી માટે ત્યાંથી વહી જાય છે.
     ગરીબ હોય કે તવંગર વ્યક્તિને માસુમ દીકરી અત્યંત વહાલી હોય છે.પોતાનું ધારેલું કામ પણ પડતું મૂકીને પોતાના બાળકની પરવરીશ કરવામાં તમામ પ્રયાસો કરતા હોય છે.

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...