ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે..!!- મરણ પથારીએ દાદાના શબ્દો ઝાલા સાહેબે ઉતાર્યા

પોતાના દાદા કાળુભા સાહેબ મરણ પથારીએ હતા ત્યારે એક વાક્ય ઉચ્ચારેલ કે "ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે." આ શબ્દ આખો જિંદગી કાઢી છે એવા પોલીસ અધિકારી તરીકે ફરજ માટે  સમર્પિત ૮૩રિ વર્ષના રીટાયર્ડ આઇપીએસ રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલા (આર.ડી.ઝાલા) સાહેબ નીડરતા અને પ્રામાણિક હોવાથી આપણે સેલ્યુટ મારવાનું અચૂક મન થાય.તેઓ ભર યુવાનીમાં કહેતા કે મારે ગરીબ માણસ માટે ડ્યુટી કરવી છે. તેમનું બાળપણ  ભાવનગરના રાજકુંટુંબ સાથે વીત્યું હતું।.૧૯૬૯ના ગાળામાં સેન્ટ્રલ ડિટેક્ટિવ સ્કૂલ કલકત્તા ખાતે કોર્ષમાં સાડા ત્રણ મહિના ગયા બાદ એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક મેળવીને આ સિદ્ધિ મેળવનાર ગુજરાતી પ્રથમ હતા.

      મૂછનો દોરો અને રુઆબદાર આંખની ખુમારી હોવાથી ૧૯૯૧ ચાર વર્ષ માટે અતિ સંવેદનશીલ પરિસ્થિતિમાં  ગોધરામાં એસપી તરીકેની તાત્કાલિક જવાબદારીમાંથી જયારે રિટાયર્ડ ગોધરાથી થતા લોકમાનસમાં તેઓ ન્યાયપ્રિય અતૂટ છાપ ઉભી કરી હતી.તેઓ પોલીસ તરીકે ગ્રાઉન્ડ રિયાલિટી ખુબ જ સારી રીતે જાણતા હતા. સૌરાષ્ટ્ર જયારે જ્ઞાતિવાદની આગથી સળગી રહયુ હતુ ત્યારે પોતાના ઘરે લગ્ન પ્રસંગ ને એક બાજુ મુકી ને પ્રમાણિકતા …તટસ્થતા અને પોલીસની ખાખી વર્દીનો વિશ્વાસ સામે નાત જાત ધર્મ કે પરિવાર પણ ગૌણ છે.અશ્ર્વનો પ્રેમ અને પોલિસદળમાં માઉન્ટિંગપોલિસ દળની સક્રિય ભૂમિકામાટે પ્રેરણાપુરુષ બની હતા.ઘોડાની જાત નસલની ઓળખમા પણ માનનિત તેઓનું મોટુ નામ હોવાથી ભાવનગર પોલીસદળમાં તેમના ઉમદા સેવાને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ કલબની સ્થાપના કરવામા આવી છે.

       જાંબાજ અને સુપ્રસિદ્ધ પોલીસ અધિકારી ની સેવામાં જિંદાદિલી આર.ડી.ઝાલા સાહેબને સૌને સ્મરણ ઉભું થાય એ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મથી તેમને સન્માન કરવાના પ્રયાસ માટે અમારા ભરૂચ જિલ્લાના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગરના એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ ધ્રુવ પંડિતે તેમની શોર્ટમાં બાયોગ્રાફી બનાવી હોય એમ લાગે છે.   

હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ..!!




નદીઓ રડી, ધરતી રડી,
આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ,
પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ,

દેશપ્રેમ જેના લોહીમાં હોય એવા શહીદવીરો માટે, 
આ દેશ કોઈ જમીનનો ટુકડો નથી પણ જવતું  જાગતું રાષ્ટ્ર પુરૂષ છે, 
અમે ભલે શહીદ  થયા પણ અમારી અસ્થિ નદીમાં તર્પણ કરશે 
ત્યારે તેમાંથી એક સ્વરની  ગુંજ નીકળીને સંભળાશે "ભારત માતા કી જય.!"

માતૃભૂમિ માટે નરબંકા શહીદવીરોનો એક લાગણી,
અમે જઈશું ખાલી હાથે,અને ભારત દેશની માટી આજીવન જીવન રહેશે,
સૌના ગળગળા શહીદો માટે શબ્દો  હશે કે "આર્મી જિંદાબાદ.!"
હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ.

રાષ્ટ્રપ્રેમી શહાદતો દેશના હિતના પડકારોને માટે,
ફૂલોના માર્ગમાં તેના જીવનમાં ઘણા કાંટા દેખાય,
ફૂલો મેળવવા થોડા પડકારો માટે સળગવું પડે,
ત્યારે ભારત દેશએ રાષ્ટ્રપ્રિતિનો  દેશ હશે.
           
                  (-વિરેન્દ્રસિંહ અટોદરિયા તા-૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯) 

                    { તા-૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ પુલવામાં હુમલા પર કવિતા}








માં રેવા (નર્મદા) તટે તારા દર્શનથી આનંદ નહીં ભય લાગે..!!

માં રેવાના તટે પગની નહિ પણ 
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં  નિર્મળ પાણી ભરાઈ નહીં, 
હું કોને કરૂ અર્પણ..!!

હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી 
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું 
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.


હવે નિર્મળ જળ વિનાની ખાલીખટ્ટ માં રેવા 
તુજ પરિક્રમાથી કોણ થશે પાવન..!!
મેઘરાજામાં  ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.

તારૂં પાણીનું વહેણ ન આવે તો 
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે 
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે. 
છતાં પણ તારી શ્રધ્ધા પર  અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.

તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ 
સૌના જીવતરમાં તારૂં  નિર્મળ જળ આપ.

                                - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા-  ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...