દીકરાના લગ્ન હરખના પ્રસંગમાં "માતા" અને "બા" ની આંખ ભીની થઇ..!!


   દીકરાના લગ્નનો પ્રસંગ હોય એટલે સૌને આનંદ હોય. પરંતુ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું નવલોહિયા દીકરાના હરખના પ્રસંગે તેની "માતા" અને "બા" ની આંખો ભીની હતી.કારણ કે એકનો એક જુવાનજોધ દીકરાના લગ્ન પ્રસંગે તેના પિતા અને વ્હાલસોયા દાદા આજે હયાત નથી.તેની યાદમાં આંખના ખૂણા ભીના થયા વગર ન રહે. 

   છેલ્લા ત્રણ વર્ષ વર્ષ પર કોઈ ઓળખ આપ્યા વગર મારા ફેસબુક બે શબ્દો લખવા પડ્યા.આજે દુઃખના દિવસો દૂર થયા બાદ સુખ તરફના પગલાં માંડતા કંઈક સૌ માટે આ કિસ્સો જણાવવું જોઈએ.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું રાજપૂત સમાજનું એક નાનકડું ગામની આ ઘટના છે.લગભગ બે દાયકાથી વધુના સમયે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પરિવારે પોતાની દીકરી મોટી થઇ ત્યારે હાથ પીળા કરવાની વડીલોની ઈચ્છા થઇ.પોતાના જમાઈ હોંશિયાર અને મપોતાનો જમાઈ હોંશિયાર અને મહેનતુ શોધવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં માંગરોળ તાલુકાના આજ નાનકડા ગામે સજ્જન પરિવારનો એકનો એક દુકારા સાથે સગપણ નક્કી થયા બાદ બંને જણા સાત પેઢીના સંબંધો બાંધી દીધા.એ સમયે આ દંપતીએ એકમેકના થઈને જીવન જીવવાની શરૂઆત કરી.આ પરિવારમાં નવવધૂ ગર્ભવતી હોવાના સારા સમાચાર મળતા હોય ત્યારે તેના પિતાને આનંદ કંઈક હોય અને એ વાત છોડો તો પોતાના દાદાને પૌત્રનો હરખ માતો ન હતો. પૌત્ર આવે એટલે જાણે ઘરમાં વ્યાજ આવ્યું હોય એમ લાગતું હતું.આખો પરિવાર ખુશીમાં ફેરવાઈ ગયો.

       સુખના એ સમયના દિવસો વચ્ચે જાણે કુદરતે દુઃખ તરફ ધકેલી દેવામાં કંઈ બાકી ન રાખ્યું.લગ્નના માંડ  છએક મહિનામાં જે ઘરેથી પરણાવેલી દીકરી ના ઘરે આઘાતજનક ઘટના બનતા સૌ રૂંવાટા ઉભા કરી દીધા. છ મહિના પહેલા લગ્ન કર્યા બાદ દીકરીના જીવનસાથી (પતિદેવ) બનાવ એવો હતો કે માંડ છ માસ પહેલા લગ્ન કરેલા સજ્જન વ્યકિતે રોડ પર ટુ-વ્હીલર લઈને જતા એકાએક અકસ્માત થતા નાનીવયે તેમનું મોત થતા પરિવારજનોના ઘરે જાણે આભ તૂટી પડ્યો.કરૂણ ઘટના બન્યા બાદ હમણાં લગ્ન કરીને આવેલી દીકરીની હાલત શું હોઈ શકે...!! એક બાજુ પતિના અવસાનની દુઃખદ ઘટના અને બીજીબાજુ નવા સંતાનનું સુખ ના દિવસો છે.સાસુ અને સસરા ઘટના બન્યા બાદ નાની ઉંમરે  વિધવા બનેલી પુત્રવધુ જોઈને એક દિવસ તેમના પિયરિયાંને એકાંતમાં કહું કે બનવાકાળ બની ગયું પણ આજે પોરીને (પુત્રવધુ)ને કોઈ સારી જગ્યા મળે તો પરણાવી દો તો સારું...!!

   પિયરના એક વડીલે એ દીકરીને  બહુ જ હિંમતપૂર્વક જઈને કહું  કે બેટા..જે બનવાનું હતું તે બની ગયું આવી અનહોનીને કોણ રોકી શકે.તારે આખી જિંદગી કાઢવાની છે.અમારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે તો સારૂ.!! સમજદાર દીકરી પહેલા એવું મનોમન વિચાર્યું કે ભલે કુદરતે દુઃખ આપ્યું હોય પણ સાથે અવતરવાના સંતાનનું સુખ તો આપ્યું છે.પતિનું સુખ ભલે ના મળ્યું પણ પોતાના સંતાનનું સુખ તો મળશેને .!!તેમણે ઘરના વડીલને  સાફ શબ્દોમાં કહ્યું કે કદાચ મારે આવા દિવસો જોવાના હશે.હું ધારો કે બીજા લગ્ન કરી લઉં તો ત્યાં પણ કદાચ આવા દિવસો ફરીથી જોવાનો વારો આવે તો શું કરી કરાય.એટલે મને સંતાન આવશે તે જોઇને સુખી થઈશ.બીજા લગ્ન કરવાનો સાફ શબ્દોમાં અસ્વીકાર કર્યો.દિવસો જતા વાત નથી લગતી આને બે દાયકાથી વધારે સમય થઇ ગયો અને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ સસરા જુવાનજોધ દીકરાની જાન જોયા વગર અવસાન થઇ ગયું.

     એકનો એક પુત્ર જુવાનજોધ થઇ ગયો છે.અને હાલમાં સોહામણો અને જુવાનજોધ ૨૩ વર્ષનો દીકરાના લગ્ન પ્રસંગે તેની "માતા" અને "બા" ઘરના બે મોભની યાદમાં આંખ ભીની થઇ જાય.પ્રસંગ આનંદ અને ઉલ્લાસનો હોય પણ બે દાયકામાં ઘરમાં મુખ્ય બે જણા અચૂક ગેરહાજરી યાદ કરીને જોનારા માટે સંવેદનશીલ અને કરૂણ પ્રસંગ બની જાય છે.આ અગાઉ પણ સમગ્ર ઘટના જાણ્યા બાદ આજે પણ એ ગામમાં  બીજાના ઘરે સામાજિક સ્તરે જવાનું હોય ત્યારે પહેલા આઘાતમાંથી બહાર આવીને આખા સમાજ માટે પ્રેરણાદાયી ઘટના ઉભી કરનાર ના પરિવારના ઘરે નમન કરવા અચૂક જાઉં છું...!!!!

બેટા લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ લેતી જા:- દીકરીને પિતાની લાગણીસભર શબ્દો

   છેલ્લે દીકરીને વિદાય વેળાએ બાપ મળવા જાયને એ ચિત્ર કોઈ જોઈ ન શકે સાહેબ...!!! એ તો જેણે વળાવી હોય એને ખબર પડે. આ શબ્દો ગુજરાતના અદના લોકકલાકાર માયાભાઇ આહીરના હતા.
     પૂ.મોરારીબાપુની હાજરી હોય અને માયાભાઇ આહીર ડાયરો હોય ત્યારે તેમણે કરૂણ અને ગરવા ગુજરાતનો એક પ્રસંગ કહ્યો  કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરી ની પ્રત્યે બાપ પ્રેમ કેટલો હોય તેનો એક તેમને યાદ આવ્યો ત્યારે કહ્યું કે ભુજ એરપોર્ટ ઉપર અમેરિકાની એક દંપતી આવી.ભુજ એરપોર્ટ ઉપરથી પતિ-પત્ની કચ્છ ના ગામડા ખૂંદતી ખૂંદતી ગાડી કચ્છના રોડ પર જતી હતી.
      અને આગળ એક ગામ આવતું હતું એટલે અમેરિકન બહેને કહ્યું કે એના પતિને  કહેતી હતી કે "સાંભળો છો."અમેરિકા ગયા પછી આજ પહેલીવાર આવ્યા છીએ ભારતમાં..!!હું મારા બાપુજીને મળી નથી તો રસ્તામાં જ ગામ આવે છે.ચાલોને પાંચ મિનિટ ઉભા રહીશું.મારા બાપુજીને મળી લઈએ.
       આ એક ભારતની દીકરી બોલે છે. તેનો પતિદેવ કહે કે ના,આપણે વળતી સાતની ફ્લાઈટમાં પરત ફરવાનું છે.આપણી પાસે ટાઈમ નથી.દીકરી કગરે છે.ખાલી પાણી પી લેશું અને મોઢું ધોઈ લેશું અને રોડને કાંઠે તો ગામ આવે છે...!!
     ભાડે કરેલી ટેક્સીનો ડ્રાયવર કહે કે  દીકરી બહુ કગરી તેને ખબર પડી કે આ દીકરી કચ્છની છે.એ નાતે પેલા ભાઈને સમજાવ્યા કે ભાઈ આ બહેન કચ્છના તો હુંએ કચ્છનો એ નાતે એ મારા બહેન થાય...!!રસ્તામાં ગામ છે હું થોડી ગાડી રસ્તે વધારે ચલાવી લઈશ.તમારે ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પીવડાવીશ.તમે ગાડીમાં બેસજો અને મારા બહેનને પાંચ મિનિટ જવા દયોને..!! અંતે એ માની ગયા .
       ગામ આવતા ગાડી ઉભી રાખી અને દીકરી ગાડીમાંથી નીચે ઉતરી અને કચ્છની ધરતીમાં જે પગ મુક્યો અને ધરતીની ધૂળ અડીને અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ,દીકરીને પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા,આજ શેરીમાં ડોલતી બહેનપણી સાથે,દીકરી દોડતી દોડતી બાપના ઘરે આવે,તેમના ઘરને તાળું વાગેલું હતું.અડોશ-પડોશ ને ડેડી કે પપ્પા ભૂલી ગઈ,દીકરી બોલી કે મારા બાપુજી ક્યાં ગયા.ઘરને તાળું કેમ છે.
     પાડોશીએ કહ્યું કે "બેટા, અમેરિકાથી આવી છો..!!! દીકરીએ જવાબ આપ્યો કે હા,મારા બાપુજીને મળવું છે. પાડોશી એ તો વળતો જવાબ આપ્યો કે અરે બેટા તું ગ્યાં પછી અહીંયા કચ્છની ધરતીમાં સાત સાત વરહથી દુકાળ (દુષ્કાળ) પડેલો છે.અહીંયા બાજુમાં રાહતકામ ચાલે છે.તારા બાપા ચોકડી ખોદવા ગયા છે.ઝાંપામાં તળાવ ખોદાય છે ત્યાં છે...!!!
         કરગળતી દોડતી દીકરીએ જે જગ્યાએ રાહત કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને બાપને માટીના તગારું ધૂળના પાળા ઉપર નાખવું અને સામે દીકરીને આવતી જોઈને કાલીઘેલી ભાષામાં બાપ કહેવા લાગ્યો કે મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો,મારી દીકરી આવી..!!!! પોતાના બાપને હરખના હેત હતા.બાપ આવીને દીકરીને ભેટી ગયો.હરખ સાથે દીકરી કહેવા લાગી કે બાપુજી અહીં રહીને નીકળ્યા એટલે ખાલી આપણે મળવું હતું.બાપુજીએ જમાઈ આવ્યા હોવાનું પૂછતાં કહેવા લાગી કે હા આવ્યા છેને એને ઉતાવળ છે.
    બાપુજીએ દીકરીને કહ્યું કે આવજો બેટા..!!મારી ચિંતા ન કરતી હો બેટા....!! દીકરીએ બાપના આર્શીવાદ લઈને પાછા ફરતા દાસ ડગલાં જતા બાપુજીએ હાથ કરીને દીકરીને ઉભી રાખી,ધીર ધીરે બસે પાસે આવીને ચોકડી ખોડવામાંથી પાંચ રૂપિયા વધેલા અને પાઘડીના છેડે બાંધેલા હતા.એ પાંચ રૂપિયા દીકરીને આવ્યા લે બેટા પાંચ રૂપિયા લેતી જા, દીકરી બોલી કે બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે.કારણ કે અમેરિકાનો ડોલર અને ક્યાં રિપયા પાંચ..!!!
         માયાભાઇ આહીરે કહ્યું હતું કે તેથી મારા ભારત વર્ષનો બાપ એવું બોલ્યો કે બેટા,લાખ તારા છે અને પાંચ તારા બાપના છે.એ  લેતી જા...!!!

       સમગ્ર પ્રસંગ બાપને દીકરી પ્રત્યે લાગણીના સંભારણા હોય છે.દીકરીને વિદાય વેળા વળાવતા બાપ ઉભો હોય અને એકવાર દીકરી મારી સામે જોઈ લે છેલ્લીવાર દીકરીનું મોઢું જોઈ લઉં.પણ દીકરીને બાપ પ્રત્યેનો લગાવને લઈને એવું માનતી હોય કે મારા બાપુ સામે જોઈ લઉં તો  મારા બાપને છાનો કોણ રાખશે.એટલે દીકરી જોતી નથી.બાપ પણ મનોમન દીકરીને વિચારીને કહે કે મારી સામુ ન જોઈ તો કાંઈ વાંધો નહિ.પણ જે ગામના ઝાંપે આંમલી અને પીપળી રમી જે ઝાડ ઉભા છે એ ડાળીયો તો જો...!! એ ડાળ ઝૂકી ગઈ છે. પરંતુ ગામડાની વાસ્તવિક હકીકત છે કે દીકરી સાસરે જાય ત્યારે પવન ખપી જાય અને ડાળીયો ઝૂકી જાય....!!!!  
     બાપ જાણે ધરતીને પૂછી પૂછીને ડગલાં ભરતો હોય જાવ કે ન જાવ,હું કરૂ...!!વિદાયવેળા હાલી કાઢીને દીકરી જયારે બાપને ડોકે લગાડીને રોટી હોય આજુબાજુના લોકો કહે કે બસ હવે ન રોવાય,આખરે  બાપ ઈકરીને માથે હાથ મૂકીને કહી દે કે બીટા,તું રોઈશ તો તારા બાપના હમ (સમ) છે.જા બેસી જા...!!!!

"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"

 કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
જાણે તે વ્યક્તિની ઓળખ ઉભી થાય એમ માનતા હોય છે.આવા પ્રશ્નો માટે ક્યારેક એમ થાય કે આ કમનસીબ માનવી જયારે જન્મ લીધો હોય ત્યારે કોઈ વડીલના મોઢામાં એક શબ્દો એવા આવ્યા ન હોય કે આજે વિશેષણો વપરાતા હોય.
     મને પણ મારા પરમ મિત્રએ વાતચીતમાં કહ્યું કે તમે મૂછ રાખોની યાર....!! મને સ્વભાવગત કહ્યું કે મને ટાઈટકંમ્પાર્ટમેન્ટ રહી ન શકાય.પહેલાના મૂછોવાળા અને આજે મૂછો વગરમાં રહેવું સહેલું છે.આજે તો લોકશાહી છે.આખી વાતો સાંભળીને ખુબ જ હસ્યાં.જેનું મૂળ મજબૂત હોય તો ફૂલ ચોક્કસ જ ખીલે,તેના માટે લોકો ઉપમા આપવી નિરર્થક છે.મને મોરારીબાપુની એક વાત ખુબ જ ગમી કે મારા નામની આગળ પરમ પૂજ્ય કે ધર્મ ધુરંધર (ધધૂપપૂ) લખવાની સ્પષ્ટ ના પડી દેતા.તેમનું કહ્યું કે "આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ છે."
           ધર્મમાં કેટલાકના નવા તીલકો,અલગ કંઠી,ભાત ભાતના પહેવેશો એજ તેમની ઉપમા હોઈ શકે, જો કે કોઈની લાગણી દુભાવવાની કોઈ મારી ભૂમિકા ન હોય.કોઈ ઉપમા કે વિશેષણો આપણે જાતે વાપર્યા વગર કોઈના દુઃખમાં હામી બનીને ઉભા રહીએ એજ આપણી સારી વાતો કરશે એજ આપણું વિશેષણ.છેલ્લામાં છેલ્લા માણસને મદદરૂપ થઇએ એ ગરીબ વ્યકિત છુપા આર્શીવાદ આપશે...!!!તેની કોઈ સોશ્યલ મીડિયા કે પ્રસિદ્ધિ ના રસ્તે જરીએ પણ ન હોય તેનો આનંદ કંઈક ઓર હોય.

ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા

આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
           વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
       આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું  હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
     જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
 



(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ


આજે મારો દીકરો ચિ.પૃથ્વીરાજનો જન્મ દિવસ છે.તા-૯/૯/૨૦૧૦ના રોજ ચિ.પૃથ્વીરાજનો જન્મ થતાં આજે સમજણો થઇ ગયો છે.અપવાદ એકાદ વખત છોડતા જયારે પણ પૃથ્વીરાજનો જન્મદિવસ આવે એટલે વિગ્નહર્તા ગણેશનો તહેવાર આવે.આ વખતે પણ ગણપતિ દાદાનો તહેવાર છે.આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્ય પણ વિગ્નહર્તા ગણપતિ દાદાના પુંજનથી કરતા હોય છે.
    પૃથ્વીરાજ ઉંમરમાં ખુબ જ નાનો પણ આજે પણ "હું" ની જગ્યા એ "તું" ભાવના ખરી.બીજાના માટે કામ કરવાની તૈયારી જોતા પરોપકારી જીવનો ખરો.નાની ઉંમરનો હોવાથી આજે પણ તેના પર મારી નજર જાય છે.પૃથ્વીરાજ (મારા માટે ખ્યાતનામ) અંકલેશ્વરની સંસ્કારદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન બખૂબી થઇ રહ્યું છે.ગુજરાતી કહેવાતો પ્રમાણે ઘાટ હોય તો ઘડામણ અવશ્ય થાય.
      આજે પણ મને કેટલાક અઘરા પ્રશ્નો એવા પૂછે તેનો જવાબ આપવો કપરો હોય છે.ત્યારે તેની બુદ્ધિક્ષમતા અને તેના 'આઈક્યુ' જોતા મને આશ્રર્ય થતું હોય છે.ભણવામાં પણ તેની યાદશક્તિ બેનમૂન પણ રમત રમવામાં પણ પાવરધો. પોતાની હાઈસ્કૂલમાં નાના વિધાર્થીને સપોર્ટ કેમ્પસમાં રમવા લઇ ગયા ત્યાં પણ પૃથ્વીરાજ સિલેકટ થયો.આજે પણ આ હાઈસ્કૂલ ટેનિસ બોલ રમવા માટે ટેનિસ કોટમાં લઇ જાય છે.
         આજે પણ પૃથ્વીરાજ માટે જન્મ દિવસ હોય વહેલી સવારે ઉઠીને ન્હાઈ-ધોઈને ઘરે  પહેલા તો મંદિરમાં ખુબ જ કૃતજ્ઞતાથી પગે લાગ્યો.સ્ટાફ અને વડીલોના ચરણસ્પર્શથી શુભ આશિષ લીધા...!!

(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ


પટેલ,પાવર એન્ડ પોલીટીક્સ..!!!



         પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહસિક પ્રજા છે. ભૂતકાળમાં ગુજરાતી પટેલો અરબી સમુદ્ર ઓળંગીને કમ્પાલા, મોમ્બાસા,ઝાંઝીબાર, એડીસ,ઝીમ્બાવે, દક્ષિણ આફ્રિકા,આખુ અમેરિકામાં પાટીદારો વસે છે. આમ તો પાટીદાર સમાજ આખી ડૂઇંયામાં પથરાઈ ગયા હોવાથી મિસ્ટર પટેલ કહીને બોલાવે.
      આમ તો પાટોદરો ઇન્ટરનેશનલ કે પટેલ ઈન કોર્પોરેટેડ નામની કોઈ સંસ્થા આધાર હોય એવું સાંભળ્યું નથી.પાટેકને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિષ્ઠાની જરૂર ન હોય. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે.પટેલ માટે મારે વિશેષણ વાપરવાના હોય તો પોતાના પાર હસતા રહેવાની એક ગજબની ખેલદિલી છે.આમ તો પારસી સમાજમાં પણ પટેલ અટક હોય.મુસ્લિમમાં પણ પટેલ છે.
            ગુજરાતમાં તો કણબી શબ્દ વપરાતો હતો.અને આજે પણ વપરાય છે.મુખ્ય ગુજરાતમાં પાટીદાર શબ્દ વધારે પ્રચલિત છે. ચરોતર વિસ્તારમાં પાટીદારોનું આધિપત્ય ખરું અને અત્યંત ધનિક વિસ્તાર.આમ તો ચરોતરના લેઉવા પાટીદારો ભૂતકાળમાં આફ્રિકામાં પહોંચ્યા બાદ અમેરિકામાં પણ ગયા.અમેરિકામાં એક પછી એક મોટેલો ખરીદતા જાય છે.એટલે મિસ્ટર પટેલ અમેરિકામાં મોટેલમાલિક બની ગયા.આખો પરિવાર પરિશ્રમી રાત-દિવસ એક કરીને ગુજરાતમાંથી અમેરિકા ગયેલા પટેલ ધનાઢય બની ગયા.
     આમ તો પાટીદારના હૃદયની સાઈઝ માટે એમ કહેવાય છે કે સામાન્ય ગુજ્જુનાં હૃદય ની સાઈઝ કરતા જરા મોટી હોય.પાટીદારમાં પરિવારમાં પ્રસંગ હોય તો મોટી સંખ્યામાં ખવડાવે-પીવડાવે અને ક્યારેક લાખો રૂપિયા વહાવડાવે.પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓ કરતા જરા ધારદાર લાગે.તેઓ ધરતીફાડીને ધન પેદા કરવાની ખુમારી ખરી.
      કાચુ સોનુ પકાવનાર એ જ છે ગુજરાતનો પાટીદાર !!


માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...