દક્ષિણ ગુજરાતમાં પત્રકારત્વની કલમે જવાનો અવસર મળ્યો. જટિલ સમસ્યાઓ, ઇતિહાસ અને ભવિષ્યનું પ્લાનિંગ અક્ષરના સરનામે જવું પડે.
"આપણું અસ્તિત્વ એજ આપણી ઓળખ"
કેટલાક લોકોને વિશેષણનો શોખ જબરો હોય,પોતાના નામની આગળ પ્રતિષ્ઠાને લાગતું ઉમેરીને કહેતા હોય ત્યારે તેનો આનંદ માતો નથી.કેટલાક ગામ,શહેર કે ફળિયાનું નામ મુકવાથી જાણે અલાયદું વિશેષણ બની જતું હોય,પોતાના નામની સાથે આવા વિશેષણોની
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
ચ્હા વેચવાવાળો બાળકની માતાએ એવા સંસ્કારો આપ્યા કે આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા
આજે ભારતદેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી શુભકામના પાઠવું છું. લગભગ બે વર્ષ પુરા થયા બારડોલી સ્વરાજ આશ્રમના ગાંધીયન અને સૌ માટે પ્રેરણાસ્ત્રોત નિરંજનાબેન કલાર્થી અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જીઆઈડીસીની સ્કૂલોમાં ભણતી નવી પેઢીની માતાઓના કાર્યક્રમમાં વિષય હતો કે આદર્શ કુટુંબ દ્વારા આદર્શ સમાજ પાર નિરંજનાબેન બોલવાનું હતું. સંસ્કારીનગરી વડોદરામાં વિનોબાભાવે માતાએ ગર્વથી ઊંચું કરી શકે એવા ત્રણ રત્નો આપ્યા.પુતળીબાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને અને લાડબાએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ આપ્યો.આમ તો આદર્શ વાતાવરણ સર્જવા માટે માતા કે સ્ત્રી પાસે કોઈ ડિગ્રી લેવાની ક્યાંયે જરૂરી નથી.અને સ્ત્રીની નૈતિક અને આધ્યાત્મિક કેળવણી વગર આદર્શ રાષ્ટ્રની રચના ન થાય.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
વધુમાં નિરંજનાબેન માતા એ સમયે ઉત્તમ દાખલો આપ્યો કે ગુજરાતના હીરાબા એ નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો કે ભૂતકાળમાં ચ્હા વેચવાવાળો બાળક આજે ભારત દેશના વડા પ્રધાન બની ગયો.હીરાબાએ સારા સંસ્કારો આપીને તેમનું ઘડતર કર્યા બાદ દેશના કલ્યાણ માટે સક્ષમ બની ગયા.
આદર્શ માતા માટે નિરંજનાબેન નું કહેવું હતું કે બાળકને મોટું થઈને નકસલવાદ,કાળા બજારિયો કે આંતકવાદી ન બને એવા સંસ્કાર આપજો.બાળકોને નવા જમાના અને સમય સાથે નવું ચોક્કસ શીખવા દો પણ તેમાં સંસ્કાર રેડવું ક્યારેય ભૂલશો નહી.દરેક કુટુંબના મૂળમાં "માં" હોવાથી દરેક સમાજમાં મૂળમાં "આદર્શ કુટુંબ" છે.આમ પણ બાળકોને ખુલ્લું મેદાન આવશ્ય આપવું પણ તેને સંયમ ચોક્કસ શીખવાડવું પડશે.બાળકોમાં સંસ્કારોનું રોપણ કરવામાં આવે તો અને તેનું સિંચન કરવામાં આવશે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજ બની શકશે.
જો કે આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આ વાત યાદ કરી.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ
આજે મારો દીકરો ચિ.પૃથ્વીરાજનો જન્મ દિવસ છે.તા-૯/૯/૨૦૧૦ના રોજ ચિ.પૃથ્વીરાજનો જન્મ થતાં આજે સમજણો થઇ ગયો છે.અપવાદ એકાદ વખત છોડતા જયારે પણ પૃથ્વીરાજનો જન્મદિવસ આવે એટલે વિગ્નહર્તા ગણેશનો તહેવાર આવે.આ વખતે પણ ગણપતિ દાદાનો તહેવાર છે.આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્ય પણ વિગ્નહર્તા ગણપતિ દાદાના પુંજનથી કરતા હોય છે.
પૃથ્વીરાજ ઉંમરમાં ખુબ જ નાનો પણ આજે પણ "હું" ની જગ્યા એ "તું" ભાવના ખરી.બીજાના માટે કામ કરવાની તૈયારી જોતા પરોપકારી જીવનો ખરો.નાની ઉંમરનો હોવાથી આજે પણ તેના પર મારી નજર જાય છે.પૃથ્વીરાજ (મારા માટે ખ્યાતનામ) અંકલેશ્વરની સંસ્કારદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન બખૂબી થઇ રહ્યું છે.ગુજરાતી કહેવાતો પ્રમાણે ઘાટ હોય તો ઘડામણ અવશ્ય થાય.
આજે પણ મને કેટલાક અઘરા પ્રશ્નો એવા પૂછે તેનો જવાબ આપવો કપરો હોય છે.ત્યારે તેની બુદ્ધિક્ષમતા અને તેના 'આઈક્યુ' જોતા મને આશ્રર્ય થતું હોય છે.ભણવામાં પણ તેની યાદશક્તિ બેનમૂન પણ રમત રમવામાં પણ પાવરધો. પોતાની હાઈસ્કૂલમાં નાના વિધાર્થીને સપોર્ટ કેમ્પસમાં રમવા લઇ ગયા ત્યાં પણ પૃથ્વીરાજ સિલેકટ થયો.આજે પણ આ હાઈસ્કૂલ ટેનિસ બોલ રમવા માટે ટેનિસ કોટમાં લઇ જાય છે.
આજે પણ પૃથ્વીરાજ માટે જન્મ દિવસ હોય વહેલી સવારે ઉઠીને ન્હાઈ-ધોઈને ઘરે પહેલા તો મંદિરમાં ખુબ જ કૃતજ્ઞતાથી પગે લાગ્યો.સ્ટાફ અને વડીલોના ચરણસ્પર્શથી શુભ આશિષ લીધા...!!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
(આમ તો હિન્દૂ પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં ગણેશજીની પૂજા થાય છે..!!) યોગનુંયોગ વિગ્નહર્તા ગણેશજીના તહેવાર વખતે જ મારા દીકરાનો જન્મદિવસ
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
પટેલ,પાવર એન્ડ પોલીટીક્સ..!!!
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહસિક પ્રજા છે. ભૂતકાળમાં ગુજરાતી પટેલો અરબી સમુદ્ર ઓળંગીને કમ્પાલા, મોમ્બાસા,ઝાંઝીબાર, એડીસ,ઝીમ્બાવે, દક્ષિણ આફ્રિકા,આખુ અમેરિકામાં પાટીદારો વસે છે. આમ તો પાટીદાર સમાજ આખી ડૂઇંયામાં પથરાઈ ગયા હોવાથી મિસ્ટર પટેલ કહીને બોલાવે.
આમ તો પાટોદરો ઇન્ટરનેશનલ કે પટેલ ઈન કોર્પોરેટેડ નામની કોઈ સંસ્થા આધાર હોય એવું સાંભળ્યું નથી.પાટેકને મદદ કરવા માટે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિષ્ઠાની જરૂર ન હોય. દરેક પટેલ પોતે જ એક સંસ્થા છે.પટેલ માટે મારે વિશેષણ વાપરવાના હોય તો પોતાના પાર હસતા રહેવાની એક ગજબની ખેલદિલી છે.આમ તો પારસી સમાજમાં પણ પટેલ અટક હોય.મુસ્લિમમાં પણ પટેલ છે.
ગુજરાતમાં તો કણબી શબ્દ વપરાતો હતો.અને આજે પણ વપરાય છે.મુખ્ય ગુજરાતમાં પાટીદાર શબ્દ વધારે પ્રચલિત છે. ચરોતર વિસ્તારમાં પાટીદારોનું આધિપત્ય ખરું અને અત્યંત ધનિક વિસ્તાર.આમ તો ચરોતરના લેઉવા પાટીદારો ભૂતકાળમાં આફ્રિકામાં પહોંચ્યા બાદ અમેરિકામાં પણ ગયા.અમેરિકામાં એક પછી એક મોટેલો ખરીદતા જાય છે.એટલે મિસ્ટર પટેલ અમેરિકામાં મોટેલમાલિક બની ગયા.આખો પરિવાર પરિશ્રમી રાત-દિવસ એક કરીને ગુજરાતમાંથી અમેરિકા ગયેલા પટેલ ધનાઢય બની ગયા.
આમ તો પાટીદારના હૃદયની સાઈઝ માટે એમ કહેવાય છે કે સામાન્ય ગુજ્જુનાં હૃદય ની સાઈઝ કરતા જરા મોટી હોય.પાટીદારમાં પરિવારમાં પ્રસંગ હોય તો મોટી સંખ્યામાં ખવડાવે-પીવડાવે અને ક્યારેક લાખો રૂપિયા વહાવડાવે.પાટીદારની જીભ અન્ય ગુજરાતીઓ કરતા જરા ધારદાર લાગે.તેઓ ધરતીફાડીને ધન પેદા કરવાની ખુમારી ખરી.
કાચુ સોનુ પકાવનાર એ જ છે ગુજરાતનો પાટીદાર !!
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
દુર્ગમ આદિવાસી વિસ્તારમાં ક્રિકેટની પાઠશાલા..!!
દક્ષિણ ગુજરાતમાં કલમની મહેરબાનીથી ઘાટ ઘાટના પાણી પીવાનો મારો વારો આવ્યો.ઘણા દુર્ગમ વિસ્તારોમાં ગરીબાઈને કારણે બે ટંક રોટલા ખાવાનો વારો આવતો હોય છે.આવા વિસ્તારોમાં નિષ્કામ સેવા કરનારા ભડવીરો કોઈપણ પ્રસિદ્ધિ વગર કામ કરતા હોવાથી મારે જવાનું થાય તો મારી કલમ અચૂક જ ઉપડે.
આવી સેવા કરનારા લોકો પર માંડવીના જીતેન્દ્રસિંહ પરમાર ની સાથે અતૂટ નાતો ખરો.આવી જ એક ઘટના બની.વાત ઓક્ટોબર-૨૦૧૩ની છે. શહેરની જાહોજલાલી છોડી ગામમાં આવીને વસેલા ગિરેન શાહની ખેતર ક્રિકેટ એકેડેમીએ આદિવાસી ગામ રૂપણ નાં આદિવાસી માસુમ બાળકોના જીવનમાં અજવાળું પાથરી દીધું.મારે તેમના ઘરે જવાનું થયું ગિરેનભાઈ સજીવ ખેતી સાથે જોડાયેલા હોવાથી મને કહ્યું કે બસ થોડા ભજીયા ખાઈએ. મેં તેમને હસતા મોઢે કહ્યું કે કંઈક ભજીયા ઓર્ગેનિક તો નથીને..!! ગિરેનભાઈ તરત જ કહ્યું કે ના રે ના,ભજીયાનો લોટ દુકાને થી લાવીએ એ ક્યાં ઓર્ગેનિક હોય..!!
માંડવી તાલુકાના ઝંખવાવ રોડ પર રૂપણ ગામ. સીમાડે જ એક વાંસની કામડી અને માટીની દીવાલની સાથે નળિયાંવાળું મકાન જોવા મળે. આજુબાજુના ખેતરમાં ઘટાદાર આંબાની કલમો સહિતનાં વૃક્ષો અને ચોમાસામાં ડાંગરનો પાક. બહારથી કંઈ ખાસ ન લાગતી આ જગ્યા પછાત આદિવાસી પરિવારનાં છોકરાઓ અને છોકરીઆની ક્રિકેટ એકેડેમી છે.ગામડાંની ધરાભૂમિ પર ખેતીના પાક સાથે ક્રિકેટર ઉગાડવાનો ઉદ્યમ કરતા ગિરેન શાહ પોતે કોઇ મોટા ક્રિકેટર ન હોવા છતાં કોઇની પણ આર્થિક મદદ વિના પોતાનું ગાંઠનું ગોપીચંદ ખોઈને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાઇને દેશની સૌથી વધુ પ્રચલિત રમતનો ગ્રામીણ કક્કો ઘૂંટી રહ્યાં છે. ગિરેન શાહ રૂપણ ગામે એવાં બાળકોને તૈયાર કરી રહ્યા છે જેમણે કદી શહેર નથી જોયું, કદી ટ્રેનમાં નથી બેઠાં, જેમના ઘરે સચીનની છેલ્લી ઈનિંગ જોવા માટે ટીવી સેટ પણ નથી. સુખ અને સુવિધા જેમના માટે સ્વર્ગ જેવી ઘટના બનતી હોય છે તેવાં બાળકોને તૈયાર કરવાં કઠિન કામ છે પણ ગિરેન શાહ તે એવી હોંશથી કરે છે કે જોતાં જ દંગ રહી જવાય.આદિભૂમિ પર તેમની ક્રિકેટની ખેતી સો ટચની સાચી નીવડી છે અને ગુજરાત અન્ડર-૧૯ ટીમમાં નબળા પરિવારની ત્રણ છોકરી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૯ ટીમમાં આ એકેડેમીનાં છોકરાં ધૂમ મચાવી રહ્યાં છે.
ગિરેનભાઈ શાહ કોણ છે એ જાણવાની તલાવેલી મારી હતી.આમ તો માતૃપ્રધાન આદિવાસી સંસ્કૃતિમાં સૌથી મોટો સંબંધ મામાનો ગણાય છે. ગિરેનભાઇ શાહના પોતાના વ્યક્તિત્વ પર નજર મારીએ તો એક સમયે મુંબઇ તેમજ અમદાવાદમાં કપાસના વેપારમાં જાણીતા અને ધનાઢ્ય પરિવારના સાકળચંદ નગીનદાસની પેઢીના સુબોધચંદ્ર તેમજ ભાનુમતી શાહના ઘરે જન્મ થયો. આમ તો જન્મથી ધનાઢય હોવાથી શ્રીમંતાઇ જોઈ હતી. અભ્યાસ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ અને અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યો હતો. ૧૯૮૩માં અમદાવાદની આઇઆઇએમમાંથી છ મહિનાનો મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કોર્સ પણ કર્યો હતો. ૧૯૭૭માં પિતાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. વેપાર અને પરિવાર સંયુક્ત હોવાથી થોડો સમય પિતાના વ્યવસાયમાં કામ કર્યું હતું. તેમાં પણ ગિરેનભાઇનું મન લાગતું ન હતું. એ સમયે વાંચનમાં વિનોબા તથા ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા બાદ તેમના વિચાર બદલાયા.ગિરેનભાઈ જાહોજલાલીવાળું જીવન છોડીને સાદગી તરફ વળ્યાં.ભૂતકાળને વાગોળતાં તેઓ કહે કે " ૧૯૮૨માં નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું ત્યારે પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય એમ બધાં કહેવા લાગ્યા કે ગાંડો થઇ ગયો છે ? જો કે હું મક્ક્મ હતો. ૧૯૮૩માં સત્યના પ્રયોગો વાંચ્યા બાદ ખાદી અપનાવી લીધી. એ સમયે ઘરમાં ગાડી હતી અને જાહોજલાલી હતી, એ બધું જ છોડી દીધું. કોઇનું કે સમાજનું કલ્યાણ કરી નાંખવાનો પણ કોઈ ઈરાદો ન હતો પણ વિનોબાને વાંચ્યા બાદ એવો નિર્ધાર કર્યો કે ગામડાંમાં જઇને ખેતી કરવી." ગિરેનભાઈના પરિવારમાં માતા ભાનુમતીબહેન તેમજ બહેન ચિત્રા અમેરિકાના એટલાન્ટામાંં રહે છે. તમામ માયા છોડીને તેઓ અમદાવાદથી માંડવીમાં આવ્યા. અહીં તેમને સ્વાતંત્ર્યસેનાની રામચંદ્ર ઉપાધ્યાયની મદદ મળી અને ૧૮૮૫માં રૂપણમાં જમીન લીધી અને ખેતીની શરૂઆત કરી દીધી.ગિરેનભાઈએ બજારથી દૂર રહીને પોતાની જરૂરિયાત ઘટાડવાનું અને શક્ય હોય તે તમામ વસ્તુઓ જાતે જ પકવવાનું શરૂ કર્યું છે. ગિરેન શાહ કહે છે કે "અમદાવાદ માતાને છોડીને રૂપણમાં વસવાટ કર્યો ત્યારે એક સામાન્ય ઘર બનાવેલું જે લાંબું ટકી ન શક્યું એટલે ૧૯૯૩માં વાંસ અને માટીનું ઘર સ્થાનિક લોકોની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હતુું. આ ઘર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. પાંચ એકરની જમીનમાં આંબા, જમરૂખ, જાંબુ, નાળિયેર, વાંસ અને સાગ સહિત ૮૦૦થી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. પહેલાં ગાય અને બળદની પણ સમજણ ન હતી હવે ઢોરનું વાસીદું પણ કરું છું." ખેતીની સાથે આજુબાજુનાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવતા ગિરેન શાહે છ આદિવાસી બાળકોને એમના વિકાસ માટે લગભગ દત્તક લીધાં છે. કાયદાની ભાષામાં જેને દત્તક કહી શકાય એવી રીતે નહીં, બાળકો ફુલટાઇમ ગિરેનભાઇના ઘરમાં રહે છે અને માંડવી ભણવા જાય છે. આ બાળકો ગિરેન શાહની પાસે કામ કરતા લોકોનાં છે.
આ ખેતર, ક્રિકેટ એકેડેમીનો ક્યારે પ્રયોગ થયો. જે બાબતે ગિરેનભાઇ કહે છે કે, " પાંચેક વર્ષ પહેલાં અજય ચૌધરી અને તેની બહેન સુરાલી મારા ઘરે રહીને ભણવા આવ્યાં હતાં. એ લોકો ગજબની સ્ફૂર્તિ સાથે ઝાડ પર ચઢી જતાં હતાં. એમની ફિટનેસ જોઇને મને લાગ્યું કે એમને યોગ્ય દિશા આપવી જોઇએ. દિશાની શોધમાં મને ક્રિકેટનું સૂઝ્યું. ક્રિકેટમાં મને પણ રસ હતો. પહેલાં અજય રમતો હતો. પછી પ્રકાશ ચૌધરી અને ધર્મેશ ચૌધરી જોડાયા. છોકરીઓમાં અંજના અને કૃતિકા ચૌધરી રમવા આવી. પાંચ વર્ષમાં આ એકેડેમીમાં આજ સુધીમાં લગભગ ૪૦૦થી વધુ છોકરાં આવીને જતાં રહ્યાં હશે. કેટલાંક ટકી ગયાં, જે આજે પણ રમે છે. અનાયાસે શરૂ થયેલી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ આજે રાજ્યની ટીમ સુધી પહોંચ્યાં છે. ગુજરાત અન્ડર-૧૯ મહિલા ટીમમાં પ્રજ્ઞા ચૌધરી, અંજના ચૌધરી અને રેણુકા ચૌધરી રમી ચૂક્યાં છે. પ્રજ્ઞા ચૌધરી તો અન્ડર-૧૯ મહિલા ટીમની વાઇસ કેપ્ટન પણ બની છે. સુરતના વડીલ ક્રિકેટ કોચ બશીર ગોલંદાજે અમારા છોકરાઓની ક્રિકેટની રમત સુધારવામાં ખૂબ જ મદદ કરી છે."
ગિરેન શાહ કહે , પોતાના ખર્ચે તથા જોખમે બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. મેં જ્યારે પારિવારિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મારે ભાગે આવેલી સંપત્તિનું મેં યોગ્ય રોકાણ કરેલું એમાંથી જે આવક આવે છે તેનાથી કામ ચાલે છે. મેં મારી અંગત જરૂરિયાત ઘટાડી છે એટલે કોઈ બોજ રહેતો નથી. પહેલાં મારી માની જવાબદારી હતી, હવે કંઇ નથી. બહેન અમેરિકામાં રહે છે એટલે તેની પણ વિશેષ જવાબદારી નથી. હું નિરાંતે મને ગમતું કામ કરી શકું છું."સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનનો સહયોગ પણ મળી રહ્યો છે પણ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વધુ મદદરૂપ થાય તો બાળકોને વધારે સારી રીતે તૈયાર કરી શકાય.
સંદેશ અખબારના તા-૩૦મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ અર્ધ સાપ્તાહિકમાં મે આર્ટિકલ લખ્યો. ગિરેનભાઈની કામ કરવાની ધગશ જોતા ક્રિકેટ એકેડેમીમાં દીકરીએ તેમના પરિવાર માટે પણ સહારો બન્યો છે.ગિરેન શાહે તૈયાર કરેલી મહિલા ક્રિકેટર પ્રજ્ઞા ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી ટૂંકી ખેતી પાંચ દીકરા અને પાંચ દીકરીઓને કારણે તેમના ભરણ-પોષણ માટે સક્ષમ ન હતા. વળી, રત્નકલાકારની નોકરીમાં પણ મંદી આવી હતી. અન્ડર-૧૯માં ગુજરાત મહિલા ક્રિકેટમાં સિલેક્ટ થયા બાદ મળેલી ૫૧ હજારની મસમોટી રકમથી આજે માનસિંગના ખેતરમાં ટયુબવેલ લાગી છે. ક્રિકેટની મહેનતના પૈસાથી જમીન હરિયાળી બની છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના બળતલ ગામની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી રેણુકા ચૌધરીએ ગુજરાત અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ રમીને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાના પરિવાર માટે ઘરનું ઘર બનાવ્યું છે.
આવી સેવા કરનારા લોકો પર માંડવીના જીતેન્દ્રસિંહ પરમાર ની સાથે અતૂટ નાતો ખરો.આવી જ એક ઘટના બની.વાત ઓક્ટોબર-૨૦૧૩ની છે. શહેરની જાહોજલાલી છોડી ગામમાં આવીને વસેલા ગિરેન શાહની ખેતર ક્રિકેટ એકેડેમીએ આદિવાસી ગામ રૂપણ નાં આદિવાસી માસુમ બાળકોના જીવનમાં અજવાળું પાથરી દીધું.મારે તેમના ઘરે જવાનું થયું ગિરેનભાઈ સજીવ ખેતી સાથે જોડાયેલા હોવાથી મને કહ્યું કે બસ થોડા ભજીયા ખાઈએ. મેં તેમને હસતા મોઢે કહ્યું કે કંઈક ભજીયા ઓર્ગેનિક તો નથીને..!! ગિરેનભાઈ તરત જ કહ્યું કે ના રે ના,ભજીયાનો લોટ દુકાને થી લાવીએ એ ક્યાં ઓર્ગેનિક હોય..!!
માંડવી તાલુકાના ઝંખવાવ રોડ પર રૂપણ ગામ. સીમાડે જ એક વાંસની કામડી અને માટીની દીવાલની સાથે નળિયાંવાળું મકાન જોવા મળે. આજુબાજુના ખેતરમાં ઘટાદાર આંબાની કલમો સહિતનાં વૃક્ષો અને ચોમાસામાં ડાંગરનો પાક. બહારથી કંઈ ખાસ ન લાગતી આ જગ્યા પછાત આદિવાસી પરિવારનાં છોકરાઓ અને છોકરીઆની ક્રિકેટ એકેડેમી છે.ગામડાંની ધરાભૂમિ પર ખેતીના પાક સાથે ક્રિકેટર ઉગાડવાનો ઉદ્યમ કરતા ગિરેન શાહ પોતે કોઇ મોટા ક્રિકેટર ન હોવા છતાં કોઇની પણ આર્થિક મદદ વિના પોતાનું ગાંઠનું ગોપીચંદ ખોઈને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાઇને દેશની સૌથી વધુ પ્રચલિત રમતનો ગ્રામીણ કક્કો ઘૂંટી રહ્યાં છે. ગિરેન શાહ રૂપણ ગામે એવાં બાળકોને તૈયાર કરી રહ્યા છે જેમણે કદી શહેર નથી જોયું, કદી ટ્રેનમાં નથી બેઠાં, જેમના ઘરે સચીનની છેલ્લી ઈનિંગ જોવા માટે ટીવી સેટ પણ નથી. સુખ અને સુવિધા જેમના માટે સ્વર્ગ જેવી ઘટના બનતી હોય છે તેવાં બાળકોને તૈયાર કરવાં કઠિન કામ છે પણ ગિરેન શાહ તે એવી હોંશથી કરે છે કે જોતાં જ દંગ રહી જવાય.આદિભૂમિ પર તેમની ક્રિકેટની ખેતી સો ટચની સાચી નીવડી છે અને ગુજરાત અન્ડર-૧૯ ટીમમાં નબળા પરિવારની ત્રણ છોકરી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૯ ટીમમાં આ એકેડેમીનાં છોકરાં ધૂમ મચાવી રહ્યાં છે.
ગિરેનભાઈ શાહ કોણ છે એ જાણવાની તલાવેલી મારી હતી.આમ તો માતૃપ્રધાન આદિવાસી સંસ્કૃતિમાં સૌથી મોટો સંબંધ મામાનો ગણાય છે. ગિરેનભાઇ શાહના પોતાના વ્યક્તિત્વ પર નજર મારીએ તો એક સમયે મુંબઇ તેમજ અમદાવાદમાં કપાસના વેપારમાં જાણીતા અને ધનાઢ્ય પરિવારના સાકળચંદ નગીનદાસની પેઢીના સુબોધચંદ્ર તેમજ ભાનુમતી શાહના ઘરે જન્મ થયો. આમ તો જન્મથી ધનાઢય હોવાથી શ્રીમંતાઇ જોઈ હતી. અભ્યાસ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ અને અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યો હતો. ૧૯૮૩માં અમદાવાદની આઇઆઇએમમાંથી છ મહિનાનો મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કોર્સ પણ કર્યો હતો. ૧૯૭૭માં પિતાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. વેપાર અને પરિવાર સંયુક્ત હોવાથી થોડો સમય પિતાના વ્યવસાયમાં કામ કર્યું હતું. તેમાં પણ ગિરેનભાઇનું મન લાગતું ન હતું. એ સમયે વાંચનમાં વિનોબા તથા ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા બાદ તેમના વિચાર બદલાયા.ગિરેનભાઈ જાહોજલાલીવાળું જીવન છોડીને સાદગી તરફ વળ્યાં.ભૂતકાળને વાગોળતાં તેઓ કહે કે " ૧૯૮૨માં નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું ત્યારે પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય એમ બધાં કહેવા લાગ્યા કે ગાંડો થઇ ગયો છે ? જો કે હું મક્ક્મ હતો. ૧૯૮૩માં સત્યના પ્રયોગો વાંચ્યા બાદ ખાદી અપનાવી લીધી. એ સમયે ઘરમાં ગાડી હતી અને જાહોજલાલી હતી, એ બધું જ છોડી દીધું. કોઇનું કે સમાજનું કલ્યાણ કરી નાંખવાનો પણ કોઈ ઈરાદો ન હતો પણ વિનોબાને વાંચ્યા બાદ એવો નિર્ધાર કર્યો કે ગામડાંમાં જઇને ખેતી કરવી." ગિરેનભાઈના પરિવારમાં માતા ભાનુમતીબહેન તેમજ બહેન ચિત્રા અમેરિકાના એટલાન્ટામાંં રહે છે. તમામ માયા છોડીને તેઓ અમદાવાદથી માંડવીમાં આવ્યા. અહીં તેમને સ્વાતંત્ર્યસેનાની રામચંદ્ર ઉપાધ્યાયની મદદ મળી અને ૧૮૮૫માં રૂપણમાં જમીન લીધી અને ખેતીની શરૂઆત કરી દીધી.ગિરેનભાઈએ બજારથી દૂર રહીને પોતાની જરૂરિયાત ઘટાડવાનું અને શક્ય હોય તે તમામ વસ્તુઓ જાતે જ પકવવાનું શરૂ કર્યું છે. ગિરેન શાહ કહે છે કે "અમદાવાદ માતાને છોડીને રૂપણમાં વસવાટ કર્યો ત્યારે એક સામાન્ય ઘર બનાવેલું જે લાંબું ટકી ન શક્યું એટલે ૧૯૯૩માં વાંસ અને માટીનું ઘર સ્થાનિક લોકોની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હતુું. આ ઘર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. પાંચ એકરની જમીનમાં આંબા, જમરૂખ, જાંબુ, નાળિયેર, વાંસ અને સાગ સહિત ૮૦૦થી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. પહેલાં ગાય અને બળદની પણ સમજણ ન હતી હવે ઢોરનું વાસીદું પણ કરું છું." ખેતીની સાથે આજુબાજુનાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવતા ગિરેન શાહે છ આદિવાસી બાળકોને એમના વિકાસ માટે લગભગ દત્તક લીધાં છે. કાયદાની ભાષામાં જેને દત્તક કહી શકાય એવી રીતે નહીં, બાળકો ફુલટાઇમ ગિરેનભાઇના ઘરમાં રહે છે અને માંડવી ભણવા જાય છે. આ બાળકો ગિરેન શાહની પાસે કામ કરતા લોકોનાં છે.
આ ખેતર, ક્રિકેટ એકેડેમીનો ક્યારે પ્રયોગ થયો. જે બાબતે ગિરેનભાઇ કહે છે કે, " પાંચેક વર્ષ પહેલાં અજય ચૌધરી અને તેની બહેન સુરાલી મારા ઘરે રહીને ભણવા આવ્યાં હતાં. એ લોકો ગજબની સ્ફૂર્તિ સાથે ઝાડ પર ચઢી જતાં હતાં. એમની ફિટનેસ જોઇને મને લાગ્યું કે એમને યોગ્ય દિશા આપવી જોઇએ. દિશાની શોધમાં મને ક્રિકેટનું સૂઝ્યું. ક્રિકેટમાં મને પણ રસ હતો. પહેલાં અજય રમતો હતો. પછી પ્રકાશ ચૌધરી અને ધર્મેશ ચૌધરી જોડાયા. છોકરીઓમાં અંજના અને કૃતિકા ચૌધરી રમવા આવી. પાંચ વર્ષમાં આ એકેડેમીમાં આજ સુધીમાં લગભગ ૪૦૦થી વધુ છોકરાં આવીને જતાં રહ્યાં હશે. કેટલાંક ટકી ગયાં, જે આજે પણ રમે છે. અનાયાસે શરૂ થયેલી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ આજે રાજ્યની ટીમ સુધી પહોંચ્યાં છે. ગુજરાત અન્ડર-૧૯ મહિલા ટીમમાં પ્રજ્ઞા ચૌધરી, અંજના ચૌધરી અને રેણુકા ચૌધરી રમી ચૂક્યાં છે. પ્રજ્ઞા ચૌધરી તો અન્ડર-૧૯ મહિલા ટીમની વાઇસ કેપ્ટન પણ બની છે. સુરતના વડીલ ક્રિકેટ કોચ બશીર ગોલંદાજે અમારા છોકરાઓની ક્રિકેટની રમત સુધારવામાં ખૂબ જ મદદ કરી છે."
ગિરેન શાહ કહે , પોતાના ખર્ચે તથા જોખમે બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. મેં જ્યારે પારિવારિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મારે ભાગે આવેલી સંપત્તિનું મેં યોગ્ય રોકાણ કરેલું એમાંથી જે આવક આવે છે તેનાથી કામ ચાલે છે. મેં મારી અંગત જરૂરિયાત ઘટાડી છે એટલે કોઈ બોજ રહેતો નથી. પહેલાં મારી માની જવાબદારી હતી, હવે કંઇ નથી. બહેન અમેરિકામાં રહે છે એટલે તેની પણ વિશેષ જવાબદારી નથી. હું નિરાંતે મને ગમતું કામ કરી શકું છું."સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનનો સહયોગ પણ મળી રહ્યો છે પણ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વધુ મદદરૂપ થાય તો બાળકોને વધારે સારી રીતે તૈયાર કરી શકાય.
સંદેશ અખબારના તા-૩૦મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ અર્ધ સાપ્તાહિકમાં મે આર્ટિકલ લખ્યો. ગિરેનભાઈની કામ કરવાની ધગશ જોતા ક્રિકેટ એકેડેમીમાં દીકરીએ તેમના પરિવાર માટે પણ સહારો બન્યો છે.ગિરેન શાહે તૈયાર કરેલી મહિલા ક્રિકેટર પ્રજ્ઞા ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી ટૂંકી ખેતી પાંચ દીકરા અને પાંચ દીકરીઓને કારણે તેમના ભરણ-પોષણ માટે સક્ષમ ન હતા. વળી, રત્નકલાકારની નોકરીમાં પણ મંદી આવી હતી. અન્ડર-૧૯માં ગુજરાત મહિલા ક્રિકેટમાં સિલેક્ટ થયા બાદ મળેલી ૫૧ હજારની મસમોટી રકમથી આજે માનસિંગના ખેતરમાં ટયુબવેલ લાગી છે. ક્રિકેટની મહેનતના પૈસાથી જમીન હરિયાળી બની છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના બળતલ ગામની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી રેણુકા ચૌધરીએ ગુજરાત અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ રમીને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાના પરિવાર માટે ઘરનું ઘર બનાવ્યું છે.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આર્ટિકલ લખ્યો અને ખાપરમા આંગણવાડી મળી ગઈ..!!
લગભગ ચારેક વર્ષ પહેલાની ઘટના છે સો રૂપિયાની નોટ મે આદિવાસી નાના અને માસુમ બાળકોને આપી..!! નાના બાળકો ગામઠી ભાષામાં મને પૂછવા લાગ્યા "સાહેબ" પૈસાને હું કરૂ...? સાથે ઉભેલા આઠ થી દસ બાળકોના ટોળા મેં કહ્યું કે તમને ચોકલેટ કે બિસ્કિટ અથવા જે ખાવું હોય તે લાવીને ખાઈ લો...!! આ વાત કહેતા નાના બિચારા બાળકોને આનંદ આવી ગયો હોય તેમના મોઢે હરખ જોવા મળતો, કારણ કે આજની લોકશાહીમાં આ ગામના લોકોને હજુ માનવી ગણતા નથી..!!
આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.
આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.
News, articles in the press alum as well as the squeezing of our pen to solve complex problems.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
માતૃત્વનો નિર્દોષભાવ
માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...
-
નદીઓ રડી, ધરતી રડી, આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ, પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ, દેશપ્રેમ જેના લોહીમા...
-
ભાઈ-ભાઈનો પ્રેમ,બાપ-દીકરાનો પ્રેમ,માં -દીકરાનો પ્રેમ,એમ હવે "બાપ -દીકરી"નો અમુલ્ય પ્રેમથી આપણને એવો ખ્યાલ આવતો હોય કે દીકરીની...
-
પાટીદાર સમાજ કે પટેલ શબ્દો આજે કાને અથડાઈ. આમ તો પટેલ શબ્દો માત્ર ગરવા ગુજરાતમાં રાજકારણ માટે જ સાંભળવું પડે એમ નહિ પરંતુ સાહ...






