બાપ દીકરીના સંવાદમાં બદલાયેલી ભાષા કે જનરેશન ગેપ વચ્ચે કયારેય નહીં આવે !!


દીકરી અને પિતાનો સંબંધ જેટલો લખાયો છે એનાં કરતા વધારે જીવંત બન્યો છે.દીકરી એટલે અધિકાર એને માટે બાપ ગરીબ કે શ્રીમંત નથી હોતો.એને માટે પિતા હક કરવાની છેલ્લી અને સૌથી પહેલી વ્યક્તિ છે.દીકરીને જોઇતી વસ્તુઓનું લીસ્ટ ક્યારેય પુરૂ થતું જ નથી.પિતાના ખિસ્સા હોય નહી તો પણ દીકરીની વસ્તુ લાવવા માટે પૈસા આવી જાય છે.પિતાની ઉદાસી જેને સૌથી પહેલી ખબર પડે છે એજ દીકરી છે. દીકરી પિતા આગળ હસે એવું નિર્દોષ હાસ્ય જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. 

દીકરીને‌ પિતાને પટાવવાની આવડત એનામાં જન્મજાત ઊગી હોય છે. એ કોઇની મહોતાજ નથી જ્યાં સુધી એના પિતાનો એને સંગાથ છે.સંઘર્ષનું સત્ય એણે પિતાના જીવનમાં જોયું હોય છે અને એને એ પણ ખબર છે કે પિતાએ સંઘર્ષને એમના પૂરતો સીમીત રાખ્યો છે. ક્યારેય કુટુંબ પર આવવા દિધો નથી.પિતાને દીકરીની ખુશીઓની ખબર નથી. દીકરીને પિતાના આનંદની ખબર છે. 

આ સંબંધ દરેક સંબંધોમાં જીવતર બની છે.દીકરીને બધું જ આપી દીધા પછી ખાલી થઇ ગયેલા પિતા પાસે હજુ પણ કંઇક ને કઇક તો આપવાનું નિકળશે જ. દીકરીનો બાપ દરિયાદિલ –વજ્ર જેવો કઠોર અને વાસ્તવિક્તાને તરત સમજનારો હોય છે. અને દીકરી  બિન્દાસ્ત, તોફાની, વસ્તુઓની કશી જ ન પ઼ડી હોય એની, દીકરી પિતાને હારવા નથી દેતી. 

​બંનેના સંવાદમાં બદલાયેલી ભાષા અને જનરેશન ગેપ વચ્ચે કયારેય નથી આવતો.જમાના સાથે ચાલવાનું કહેતી દીકરીને પિતા જમાનાના મૂલ્યોની વાત સમજાવે છે. વાત બંનેની સાચી છે અને બંને જણા થોડીકવાર મુંગા થઇને પાછા બીજી કોઇ વાત પર ચડભડ કરે છે. દીકરી સાસરે જાય છે પિતાની આદતોને સાથે લઇને જાય છે. આ વાતની જાણ દીકરીને અને સાસરાના ઘરના અરીસાને હોય છે. નાની નાની પગલીઓથી આજે વિરાટ પગલાં ભરતી દીકરીઓને જોઇને જે એવાને એવા જ જીવે છે એ પિતા છે.દીકરી બધું જ જાણે છે. ધારે તો પિતાને સુધારી શકે છે. બાળપણમાં પિતાએ દીકરીને સ્વતંત્રતા આપી હતી હવે દીકરી પિતાને સ્વતંત્રતા આપે છે. પિતા એ છે જે દીકરી વિદાય પછી એકલો ન પડી જાય માટે આનંદ આવે કે ન આવે પણ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. પિતાનો દરેક બાબતમાં સ્વીકારવું થઇ જવાનો સ્વભાવ દીકરી માટે લગન પછી આદત બની જાય છે. દીકરીઓને કશું જ શીખવાડવું પડતુ હોતુ નથી. દરેક પિતા માટે એની દીકરી થોડીક ડોબી, થોડીક લુચ્ચી અને સહુથી વધુ વ્હાલી હોય છે.દરેક પિતાની ફરિયાદ પણ હોય છે કે મારી દીકરી હજુ મેચ્યોર નથી થઇ.હંમેશા ભૂલો કાઢ્યા જ કરે છે. દીકરીનું પણ સામે એવું જ હોય છે.

આદતોને સ્વીકાર કરવા માટેનું સ્થળ એ પીયર. પપ્પાના સ્વભાવને વાતે વાતે વારે વારે અમલમાં મૂકવાનું સ્થળ તે સાસરૂં,. જ્યાં સંબંધ, સ્વભાવ, આદત, જીંદગી કશું જ કામ ન આવે અને તો પણ દીકરીને પિતા અને પિતાને દીકરી યાદ આવે એ અન્નજળ. ક્યારેય ખાલીપો કે ક્યારેય સુકાઇ ન જાય તેવું જળ. “પપ્પા ઘરે બરાબર ઉંઘે તો છેને?” દીકરીની તબિયત બરાબર છેને? બંને પાત્રોને ઊંઘ ચિંતા હોય ત્યારે જ સંબંધમાં પવિત્રતા છે.



એકાંતમાં સગર્ભા માતાએ દોરેલું ચિત્રથી તેનો બાળક દુનિયાનો શ્રેષ્ઠ ચિત્રકાર બન્યો: વક્તા પ્રણેશ પાટીદાર

એક સગર્ભા મહિલા એકાંતમાં ચિત્ર દોરતી હોય અને તેનો વહાલસોયો દિકરાના જન્મ થયા બાદ દુનિયાનો સૌથી મોટો ચિત્રકાર બન્યો.માતાના લક્ષણ દિકરામાં ઉતરે.આ સાથે ૧૯૨૦ની સાલમાં અમેરિકા પર રિસર્ચના રીપોર્ટ પ્રમાણે ત્યાંની ૬૦ ટકા મહિલાઓ બીમારીને કે હેલ્થને કારણે માં બનવાને લાયક નથી. આ શબ્દો જિલ્લાનું એકમાત્ર અંકલેશ્વરની તપોવન સંસ્કાર કેન્દ્રમાં પ્રણેશ પાટીદારે સગર્ભા બહેનોને કહ્યા હતા.
     લગભગ દસેક દિવસ પહેલા અંકલેશ્વર ખાતે ૩૫ જેટલા સગર્ભા બહેનોનાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ પાટીદારે કહ્યુ કે ગર્ભ ધારણ માત્ર મહિલાઓ જ કરતી હોય છે.જો કે અગાઉ એક પુરૂષ ગભઁ ધારણની ઇચ્છા જાગી.અંતે કહ્યુ કે બાળકને જન્મ માત્ર માતા જ આપી શકે છે.બાળકને ઘડતર કરવાનો  ૮૦ ટકા ફાળો માત્ર માતા જ આપી શકે છે.
     સગર્ભા માતાની વાતો દિકરામાં હોવાનો એક કિસ્સો જણાવ્યો હતો કે ઇટલી સગર્ભા માતા ફ્રાન્સસીસકાએ એકાંતમાં એક ચિત્ર બનાવ્યુ.એજ મહિલાને તા-૬ઠી  માર્ચ ૧૪૭૫એ એક બાળકનો જન્મ થયો. સગર્ભા મહિલાના ચિત્ર જાણે ટ્રાન્સફર થયા હોય એમ બાળક મોટો થયો હોય માઇકલેએન્જીલો નામનો માણસ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર બની ગયો.તેને આજે  વેસ્ટર્ન આર્ટ જનક કહેવાય છે.ઇશ્વર ધારે એ બાળકને યુનિક બનાવી શકે છે.
    વધુમાં એક અમેરિકન રિસર્ચ કહ્યુ કે  ૧૯૨૦માં લેકીએ અમેરિકા પર રિસર્ચ કરીને કહ્યુ હતુ કે અમેરીકાની ૬૦ ટકા મહિલાઓ માં બનવાને લાયક નથી.આ મહિલાઓ બિમારી અને હેલ્થને માતા બનવાને લાયક નથી.તેની જગ્યાએ ભારતીય પરંપરા અનોખી છે.
   ભારતીય પરંપરાની વાત કરતા કહ્યુ કે ભારત દેશમાં શાસ્ત્રીય સંગીત ગાયક ભીમસેન જોશીનું નામ આવે છે.તેમના શબ્દો કહુ તો મારી ગાતી માતા હતી તેને મેં ઉઠાવ્યુ છે. મહિલાઓમાં પુરૂષ કરતા ચાર ગણુ સાહસ છે.અંતે સગર્ભા બહેનોએ દ્વેષભાવ અને ઈર્ષાના વિચારો ન લાવતાં  તેની તમારા તમારા બાળક પર પડે છે.

તું આંખોની પલકથી.....!!!



તું આંખોની પલક જેવી થઇ ગઈ,

નજરે જોયા વિના સૌને સુકૂન ન થાય,

તું મોહક,આકર્ષક,આનંદી અને સુંદરતાની મહેક,
અને સર્જનાત્મક અને હાવભાવમાં મૈત્રીપૂર્ણ 

તને વાંચવું પણ મુશ્કેલ અને લખવાની તાકાત જોયે
હજારો ચહેરોમાં તારી ઝલક જોઈ પર આફ્રિન થઇ જાય

નસીબનો વરસાદ સૌના પર એવો કે
ખ્યાઇસ સુકાઈ રહીને અને આંખની પલક ભીની થઇ જાય 

તારો સુહામણો ચહેરો આંખોમાં છલકે જામ,
શબ્દોના સરનામે જવા કાંટાનો માર્ગ સહેવા પડે.

                   - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા- ૧૩મી ફેબ્રુઆરી-૨૦૧૯)

નાવડીઓ નદીમાં ચક્કર મારતી હોય પણ નર્મદાનો ઘોડાપૂરે ફળિયામાં બોટ ફરતી થઇ

          મારી ઉંમર અડધી સદીને પુરા થવામાં હજુ બાકી છે.આમેય અમારા મનમસ્તિકમાં વર્ષ-૧૯૭૦માં નર્મદા નદીના પુર વડવાઓ પાસે સાંભળવા મળતી હતી.ક્યાંક ખળખળ વહેતી નર્મદા મનોમન ભાસે છે.ત્યારે અડધી સદી પહેલા ૧૯૭૦માં જ નર્મદા નદીમાં આવેલા પુર જેટલો જથ્થો તા-૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ આવતા જ ફરીવાર લોકોએ કહેલા સંસ્મરણો તાજા થતા હોય એ સ્વાભાવિક છે.એજ દિવસે ભાદરવા સુદ બીજનો દિવસ હતો.અને નર્મદા નદીનું પાણી દરિયામાં ઠલવાઈ તો સ્વીકારી (એક્સેપ્ટ) કે નહિ સ્વીકારી (નોન એક્સેપ્ટ) એ સમય ખુબ જ અઘરો હતો.ભરૂચ જિલ્લાની વરવી શક્યતા અને સરદાર સરોવર ડેમમાંથી ૧૮ લાખ કયુસેક પાણી ડાઉનસ્ટ્રીમ છોડાતા જ દરિયામાં ભરતીનો સમયને કારણે પાણીનો મોટો જથ્થો એ સમયે એક્સેપ્ટ ન કરતા પાણીનો ભરાવો એ ગોલ્ડન બ્રીજની સપાટી વધી ગઈ,જિલ્લાના સરકારી તંત્રએ ડેમમાંથી પાણી ન છોડવાની સુચનાઓ આપી હશે પણ પાણીનો મોટો જથ્થો છોડાયો.જેને કારણે ગોલ્ડન બ્રિજ પર ૪૦.૪૭ ફૂટ પાણી થઇ જતા અંકલેશ્વર-હાંસોટ-ભરૂચ-ઝઘડીયા તાલુકાના નદી કિનારાના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા."બોટ નદીઓમાં ચક્કર મારતી હોય એમ માનતા હોવા છતાં પણ આખરે નાવડી ગામડા/સોસાયટીઓમાં ફરતી થઇ" ગઈ.આવી સ્થિતિનું ભયાવહ નિર્માણ થયું.

       ત્યારે ક્યારેક એમ થાય કે  "नर्मम ददाति इति नर्मदा...." જેના દર્શનથી આનંદ મળે એ નર્મદા,જો કે (હાલમાં ઘોડાપૂરથી) નર્મદા કાંઠે રહેનારા લોકોને દર્શનથી આનંદ નહિ પણ ડર લાગી રહ્યો છે.આ વખતે ખળખળની જગ્યાએ ભયાવહ પાણીથી તબાહીનું મંજર દેખાતું હોય છે.નર્મદાથી ખેડૂતો,માછીમારો સહીત બધા વર્ગને ફાયદો થતો હોય છતાં ડેમમાંથી છોડેલા પાણીનો વિશાળ જથ્થાની કિનારે રહેનારા દુર્દશાનો ભોગ બની રહ્યા છે.


-વિરેન્દ્રસિંહ અટોદરીયા

   (ભરૂચ) તા-૧૮/૯/૨૦૨૩

ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે..!!- મરણ પથારીએ દાદાના શબ્દો ઝાલા સાહેબે ઉતાર્યા

પોતાના દાદા કાળુભા સાહેબ મરણ પથારીએ હતા ત્યારે એક વાક્ય ઉચ્ચારેલ કે "ખોટું એક રૂપિયો ક્યારેય લેશો નહીં.મેં આખી જિંદગી આ રીતે કાઢી છે." આ શબ્દ આખો જિંદગી કાઢી છે એવા પોલીસ અધિકારી તરીકે ફરજ માટે  સમર્પિત ૮૩રિ વર્ષના રીટાયર્ડ આઇપીએસ રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલા (આર.ડી.ઝાલા) સાહેબ નીડરતા અને પ્રામાણિક હોવાથી આપણે સેલ્યુટ મારવાનું અચૂક મન થાય.તેઓ ભર યુવાનીમાં કહેતા કે મારે ગરીબ માણસ માટે ડ્યુટી કરવી છે. તેમનું બાળપણ  ભાવનગરના રાજકુંટુંબ સાથે વીત્યું હતું।.૧૯૬૯ના ગાળામાં સેન્ટ્રલ ડિટેક્ટિવ સ્કૂલ કલકત્તા ખાતે કોર્ષમાં સાડા ત્રણ મહિના ગયા બાદ એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક મેળવીને આ સિદ્ધિ મેળવનાર ગુજરાતી પ્રથમ હતા.

      મૂછનો દોરો અને રુઆબદાર આંખની ખુમારી હોવાથી ૧૯૯૧ ચાર વર્ષ માટે અતિ સંવેદનશીલ પરિસ્થિતિમાં  ગોધરામાં એસપી તરીકેની તાત્કાલિક જવાબદારીમાંથી જયારે રિટાયર્ડ ગોધરાથી થતા લોકમાનસમાં તેઓ ન્યાયપ્રિય અતૂટ છાપ ઉભી કરી હતી.તેઓ પોલીસ તરીકે ગ્રાઉન્ડ રિયાલિટી ખુબ જ સારી રીતે જાણતા હતા. સૌરાષ્ટ્ર જયારે જ્ઞાતિવાદની આગથી સળગી રહયુ હતુ ત્યારે પોતાના ઘરે લગ્ન પ્રસંગ ને એક બાજુ મુકી ને પ્રમાણિકતા …તટસ્થતા અને પોલીસની ખાખી વર્દીનો વિશ્વાસ સામે નાત જાત ધર્મ કે પરિવાર પણ ગૌણ છે.અશ્ર્વનો પ્રેમ અને પોલિસદળમાં માઉન્ટિંગપોલિસ દળની સક્રિય ભૂમિકામાટે પ્રેરણાપુરુષ બની હતા.ઘોડાની જાત નસલની ઓળખમા પણ માનનિત તેઓનું મોટુ નામ હોવાથી ભાવનગર પોલીસદળમાં તેમના ઉમદા સેવાને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ કલબની સ્થાપના કરવામા આવી છે.

       જાંબાજ અને સુપ્રસિદ્ધ પોલીસ અધિકારી ની સેવામાં જિંદાદિલી આર.ડી.ઝાલા સાહેબને સૌને સ્મરણ ઉભું થાય એ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મથી તેમને સન્માન કરવાના પ્રયાસ માટે અમારા ભરૂચ જિલ્લાના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગરના એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ ધ્રુવ પંડિતે તેમની શોર્ટમાં બાયોગ્રાફી બનાવી હોય એમ લાગે છે.   

હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ..!!




નદીઓ રડી, ધરતી રડી,
આખું વાદળ રડી પડ્યું, અને વાતાવરણ જાણે ભીનાશ,
પુલવામાંની ધરતી પર શહીદવીરોની આગ સળગી ગઈ,

દેશપ્રેમ જેના લોહીમાં હોય એવા શહીદવીરો માટે, 
આ દેશ કોઈ જમીનનો ટુકડો નથી પણ જવતું  જાગતું રાષ્ટ્ર પુરૂષ છે, 
અમે ભલે શહીદ  થયા પણ અમારી અસ્થિ નદીમાં તર્પણ કરશે 
ત્યારે તેમાંથી એક સ્વરની  ગુંજ નીકળીને સંભળાશે "ભારત માતા કી જય.!"

માતૃભૂમિ માટે નરબંકા શહીદવીરોનો એક લાગણી,
અમે જઈશું ખાલી હાથે,અને ભારત દેશની માટી આજીવન જીવન રહેશે,
સૌના ગળગળા શહીદો માટે શબ્દો  હશે કે "આર્મી જિંદાબાદ.!"
હું પાછો આવીશ,ભારત વતન માટીની સુગંધ લઈશ.

રાષ્ટ્રપ્રેમી શહાદતો દેશના હિતના પડકારોને માટે,
ફૂલોના માર્ગમાં તેના જીવનમાં ઘણા કાંટા દેખાય,
ફૂલો મેળવવા થોડા પડકારો માટે સળગવું પડે,
ત્યારે ભારત દેશએ રાષ્ટ્રપ્રિતિનો  દેશ હશે.
           
                  (-વિરેન્દ્રસિંહ અટોદરિયા તા-૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯) 

                    { તા-૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ પુલવામાં હુમલા પર કવિતા}








માં રેવા (નર્મદા) તટે તારા દર્શનથી આનંદ નહીં ભય લાગે..!!

માં રેવાના તટે પગની નહિ પણ 
આંખ ભીની થાય,
ત્રાંબાના લોટાથી તારૂં  નિર્મળ પાણી ભરાઈ નહીં, 
હું કોને કરૂ અર્પણ..!!

હવે તારા તટે પાણીની જગ્યાએ રેતીની ઝાખળથી 
આખરે પગ તો ભીના થાય છે, પણ તારૂં નિર્મળ પાણી ક્યાં.?
ભૂતકાળમાં તારા તારા દર્શનથી આનંદથી પુણ્ય મળતું 
પણ આજે તારા દર્શનથી અમને ભય લાગે.


હવે નિર્મળ જળ વિનાની ખાલીખટ્ટ માં રેવા 
તુજ પરિક્રમાથી કોણ થશે પાવન..!!
મેઘરાજામાં  ભલે ઘોડાપુર આવે પણ,
બાકીના દિવસોમાં સામો દરિયો મળવા આવે.

તારૂં પાણીનું વહેણ ન આવે તો 
તને લુપ્ત થતા કોઈ રોકી નહિ શકે.
માછીમારો,નાવિકો અને ખેડૂતોને હવે 
પાણી વગર બરબાદીના તરફના પગલાં દેખાઈ છે. 
છતાં પણ તારી શ્રધ્ધા પર  અપાર ભરોસો છે.
સૌને મીઠા ફળ ખાવા છે.

તું નદી હોવાથી માતા કહેવાય,તું જ અન્નદાતા,
તારા વિના રેવામાતા,કોણ આપશે નિર્મળ વહેણ.!!
બંધના બંધન ભલે બંધાઈ પણ 
સૌના જીવતરમાં તારૂં  નિર્મળ જળ આપ.

                                - વિરેન્દ્રસિંહ અટોદરિયા (તા-  ૬ઠ્ઠી ફેબ્રુઆરી-૨૦૧૯)

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...